બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel from Ahmedabad has started Karuna Abhiyan on Uttarayan festival
Dinesh
Last Updated: 05:22 PM, 13 January 2024
ઉત્તરાયણ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થનારા પક્ષીઓની સારવાર અને દવા માટે 2017થી અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ હજી સુધી 6 વર્ષમાં 85 હજાર પક્ષીઓની સારવાર કરાઇ છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી અને અબોલ જીવોની સારવાર માટે થતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 13, 2024
આ… pic.twitter.com/SwM3Te0ank
હેલ્પલાઇન નંબર
આ 85 હજારમાંથી 75 હજાર પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આમ પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓમાંથી મોટાભાગના પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરે છે. જો તમારી આસપાસ પણ કોઇ ઘાયલ પંખી જણાય તો વન વિભાગની 1926 નંબર અને પશુપાલન વિભાગના 1962 નંબર પર કોલ કરી આ અંગે માહિતી આપી શકાય છે.
અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો
આ હેલ્પલાઇન નંબર થકી સ્વયંસેવકો પક્ષી સુધી પહોંચી તેની તાત્કાલિક સારવાર શરૂ કરે છે. આ વર્ષે અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર્સ તૈયાર કરાયા છે. જેમાં 216 વેટરનિટી ડોક્ટર અને 2 હજાર 805 સ્વયંસેવકો પક્ષીઓની બચાવવા માટે ખડેપગે રહેશે. તો સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્રો પણ શરૂ કરાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime