બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / વિશ્વ / china ecomony countryname G-20 summit in the national capital dispute over the name INDIA and Bharat in the country
Pravin Joshi
Last Updated: 08:19 PM, 7 September 2023
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બે દિવસીય G-20 સંમેલન પહેલા જ દેશમાં INDIA અને ભારત નામને લઈને વિવાદ વકરી રહ્યો છે. G-20 માટે આયોજિત ડિનર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણમાં INDIA ને બદલે ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી કે INDIA હવે ભારત તરીકે ઓળખાશે. નામને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાડોશી દેશ ચીનને મરચાં લાગી રહ્યા છે. ચીન સરકાર માટે પ્રોપેગેન્ડા ચલાવતા એક સ્થાનિક ચેનલે એક લેખ લખ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે INDIA અને ભારત મુદ્દા સિવાય દેશમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. લેખની શરૂઆત એમ કહીને થાય છે કે એવા સમયે જ્યારે વૈશ્વિક ધ્યાન આગામી G20 સમિટ પર કેન્દ્રિત છે.
ચીને ભારતીય અર્થવ્યવસ્થાને લોખંડી ગણાવી
નવી દિલ્હી વિશ્વને શું સંદેશ આપવા માંગે છે? જ્યારે ભારતે ડિસેમ્બર 2022 માં G-20 નું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું. ભારત દેશના આંતરરાષ્ટ્રીય પ્રભાવને વધારવા માટે તેના G-20 પ્રમુખપદનો ઉપયોગ કરવા માંગે છે. આ લેખમાં ચીને ભારતીય અર્થવ્યવસ્થાને પણ લોખંડી ગણાવી છે. તેમણે કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ માર્ગ પર આગળ વધવા માટે તૈયાર છે. દેશ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે બ્રિટનને પાછળ છોડી દીધું છે અને નજીકના ભવિષ્યમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય ધરાવે છે.
દેશને INDIA બદલે ભારત કહેવાની માંગ
આ લેખમાં વધુ કહેવામાં આવ્યું છે કે ભારતે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભારત આ G-20 સમિટ દ્વારા બહારની દુનિયાને શું સંદેશ મોકલવા માંગે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ભારત વધતા વૈશ્વિક ધ્યાનનો સારો ઉપયોગ કરી શકશે અને આ પ્રભાવને વિકાસ માટે પ્રેરક બળમાં ફેરવી શકશે. કેટલાક દિવસોથી INDIA અને ભારતના નામો પર ચાલી રહેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા લેખમાં કહેવામાં આવ્યું છે કે, મોદીની પાર્ટીના કેટલાક નેતાઓએ દેશને INDIA બદલે ભારત કહેવાની માંગ કરી છે. કારણ કે તેઓ દલીલ કરે છે કે INDIA નું નામ ભારત હતું. બ્રિટિશ વસાહતીઓ દ્વારા રજૂ કરાયેલ અને ગુલામીનું પ્રતીક છે. તેથી નામ બદલવામાં આવે તે જરૂરી બની ગયું છે.
ક્રાંતિકારી સુધારા વિના ભારત ક્રાંતિકારી વિકાસ કરી શકે નહીં : ચીન
ચીનનું કહેવું છે કે ભારતીય લોકોને તેમના દેશને ગમે તે કહેવાની સ્વતંત્રતા છે. જો કે, નામ એ સૌથી મહત્વની વસ્તુ નથી. મહત્વની વાત એ છે કે શું ભારત તેની આર્થિક વ્યવસ્થામાં વ્યાપક સુધારો કરી શકશે? આ ભારતની આર્થિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રભાવને સુધારવાની ચાવી છે. ક્રાંતિકારી સુધારા વિના ભારત ક્રાંતિકારી વિકાસ કરી શકે નહીં. 1991થી ભારતમાં આર્થિક સુધારાની દ્રષ્ટિએ મોદી સરકાર સૌથી મહત્વાકાંક્ષી સરકારોમાંની એક છે, જ્યારે ભારતે તેની અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવા માટે મોટા સુધારાની શરૂઆત કરી હતી. ભારત વેપાર સંરક્ષણવાદ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેના અગાઉના કેટલાક સુધારા પગલાં પણ અટકી ગયા છે.
આ રીતે ભારતે G-20 કોન્ફરન્સનો ઉપયોગ કરવો જોઈએ
ચીને થોડા વર્ષો પહેલા ચાઈનીઝ કંપનીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને લઈને ઠંડી પડી ગઈ છે. કેટલીક ચીની કંપનીઓ પર ભારતની તાજેતરની કાર્યવાહી દેશમાં વધતા રાષ્ટ્રવાદ અને લોકવાદ સાથે જોડાયેલી છે. આ સ્થિતિ અનિવાર્યપણે ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે. લેખમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારત ડિસેમ્બર 2022માં ઈન્ડોનેશિયા પાસેથી G20 અધ્યક્ષપદ સંભાળશે અને આગામી દિવસોમાં ભારત પ્રથમ વખત G20 નેતાઓની સમિટની યજમાની કરશે. હવે, ભારતે G20 અધ્યક્ષપદનો ઉપયોગ તેની અર્થવ્યવસ્થામાં સુધારો કરવા, તેની નિખાલસતાનો વિસ્તાર કરવા, વિદેશી રોકાણ આકર્ષવા અને વિદેશી રોકાણકારો માટે વ્યાજબી વ્યાપાર વાતાવરણ પ્રદાન કરવા માટે તેના સંકલ્પને દર્શાવવા માટે કરવો જોઈએ. ઉપરાંત આ પગલાં ધીમે ધીમે અમલમાં મૂકવા જોઈએ. આ બધું દેશનું નામ બદલવા કરતાં વધુ મહત્વનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh