બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:25 PM, 6 February 2026
કેરળના એર્નાકુલમ જિલ્લા કન્ઝયુમર આયોગે એક એરલાઇન પર મોટો દંડ ફટકાર્યો છે. આ મામલો એરલાઇન સ્ટાફના નિયમોનું નોલેજ ન હોવાને કારણે અને બાળકને મુસાફરી કરતા અટકાવવાને કારણે સામે આવ્યો છે. આ બેદરકારીને લીધે એક પરિવારને માનસિક તકલીફ અને આર્થિક નુકસાન થયું હતું. આ ઘટના જુલાઈ 2013 માં બની હતી જ્યારે જોસેફ નામનો એક મુસાફર તેના પરિવાર સાથે કોચીથી દોહા (કતાર) જઈ રહ્યો હતો. તે સમયસર એરપોર્ટ પર પહોંચ્યો અને બોર્ડિંગ પાસની વિનંતી કરી, પરંતુ એરલાઇન સુપરવાઇઝરે તેના સગીર બાળક માટે પાસ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.
ADVERTISEMENT
ઐરલાઈન સ્ટાફે દલીલ કરી હતી કે, બાળકના વિઝા જૂના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવેલા હતા જેના કારણે તે મુસાફરી માટે અયોગ્ય બની ગયો હતો. જોસેફે જૂના અને નવા બંને પાસપોર્ટ એકસાથે રજૂ કર્યા. માતાપિતાને પાસ મળ્યો પરંતુ બાળકને પ્રતિબંધિત કરવામાં આવ્યો જેના કારણે સમગ્ર પરિવાર મુસાફરી કરી શક્યો નહીં.
જોસેફે સ્ટાફને વિનંતી કરી અને કોઈપણ દંડ ભરવા તૈયારી બતાવી હતી. પરંતુ સ્ટાફે તેમની વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. તેમને તેમની ટિકિટ રદ કરવા અને બીજા દિવસ માટે નવી એમિરેટ્સ એરલાઇન્સની ટિકિટ ખરીદવાની ફરજ પડી.
ADVERTISEMENT
બીજા દિવસે અમીરાત એરલાઇન્સે બાળકને કોઈપણ પ્રશ્નો પૂછ્યા વગર તે જ જૂના પાસપોર્ટ અને વિઝાનો ઉપયોગ કરીને બોર્ડિંગ પાસ ઈશ્યુ કર્યો હતો. જેથી પરિવાર સુરક્ષિત રીતે દોહા પહોંચ્યો. તેનાથી સ્પષ્ટ થયું કે પહેલી એરલાઇનનો સ્ટાફ ખોટો હતો. જોસેફે સમજાવ્યું કે, અમીરાત સ્ટાફ ઇમિગ્રેશન નિયમોથી સારી રીતે વાકેફ હતો. પરંતુ તેમને રોકનાર એરલાઇન્સે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કતારના એક પરિપત્રનો ઉલ્લેખ કર્યો જેને કોર્ટે પાછળથી ફેક જાહેર કર્યો હતો.

ADVERTISEMENT
કન્ઝયુમર કમિશને કેસની સુનાવણી કરતા એરલાઇનના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં કોર્ટે જણાવ્યું કે, સ્ટાફનું વર્તન એવું હતું કે તેઓ બીજા લોકોને હેરાન કરીને "Sadistic pleasure" મેળવતા હતા. કમિશને શોધી કાઢ્યું કે એરલાઇન દ્વારા રજૂ કરાયેલ પરિપત્ર ફેબ્રિકેટેડ બનાવટી હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટેના ઇમિગ્રેશન નિયમો દરેક એરલાઇન્સ માટે સમાન હોય છે. એક એરલાઇન (અમીરાત) માટે મુસાફરને સ્વીકારવું અશક્ય છે જ્યારે બીજી એરલાઇન એજ ડોક્યુમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કરે છે. આ સેવામાં ખામીનો સ્પષ્ટ કિસ્સો છે.
કમિશને પુરાવા તરીકે બીજા એક મુસાફરનું ઉદાહરણ પણ આપ્યું હતું જેણે જૂના પાસપોર્ટ પર વિઝા હોવા છતાં તે જ દિવસે તે જ એરલાઇનમાં મુસાફરી કરી હતી. તેનાથી સાબિત થયું કે જોસેફ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને એરલાઇનનો બચાવ કમજોર હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.