નવરાત્રી પર આ વખતે માતાજીની સવારી હાથી છે, એટલા માટે ઘરમાં ધાતુના હાથીને લાવવાથી શુભ ફળ મળે છે.
26 સપ્ટેમ્બરથી શરુ થઇ ચુકી છે શારદીય નવરાત્રી
આ વખતે માતાજીની સવારી હાથી છે
ઘરમાં ધાતુના હાથીને લાવવો શુભ માનવામાં આવે છે
માં દુર્ગાની ઉપાસનાનાં પર્વ નવરાત્રીની શરૂઆત ૨૬ સપ્ટેમ્બરથી થઇ ચુકી છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આ વખતે માંની સવારી હાથી છે. માન્યતા છે કે જ્યારે પણ માં હાથી પર સવાર થઈને આવે છે, ત્યારે એ ખૂબ જ શુભ ફળો આપે છે. લોકોના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધન વૈભવની કોઈ ખોટ નથી રહેતી. આવામાં ઘર માટે નાના ધાતુના હાથીની ખરીદી કરવી જોઈએ. ધાતુના હાથીને ઘરે લાવવાથી ઘણા પ્રકારના ફાયદાઓ મળે છે.
ચાંદીનો હાથી
ઘરમાં મોટેભાગે આર્થિક તંગી રહે છે, તો ચાંદીના હાથીનો ઉપાય કરી શકાય છે. નવરાત્રીમાં ચાંદીનો નાનકડો હાથી ખરીદીને તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર રાખવાથી ઘરમાં વૈભવ આવે છે. આમ કરવાથી માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ મળે છે.
પીતળનો હાથી
વાસ્તુ અનુસાર, ઘરમાં પીતળનો નાનકડો હાથી ખરીદીને લાવી શકાય છે. ઘરમાં પીતળનો હાથી રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નેગેટીવીટી દૂર થાય છે. પ્રગતિના નવા દ્વાર ખુલે છે.
હાથીની જોડી
વૈવાહિક જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો બેડરુમમાં હાથીની જોડી રાખવાથી લાભ થાય છે. આમ કરવાથી દાંપત્ય જીવનમાં ખુશહાલી આવે છે. પતિ - પત્ની વચ્ચે મધુર સંબંધ સ્થાપિત થાય છે. હાથીઓની જોડી બેડરુમમાં રાખતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમનો ચહેરો એકબીજા તરફ હોય.
સૂંઢ ઉઠાવેલો હાથી
નવરાત્રીમાં જો પીતળનો હાથી નથી ખરીદી શકતા, તો હાથીની કોઈપણ મૂર્તિ અથવા તસવીર પણ લગાવી શકાય છે. જોકે એક બાબતનું ધ્યાન રાખો કે હાથીની સૂંઢ ઉપર તરફ ઉઠેલી હોવી જોઈએ અને તેને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી ગૃહ કલેશથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ કાયમ રહે છે.