બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:34 AM, 18 April 2025
Reserve Bank of India : ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મોટી અપડેટ આપવામાં આવી છે. વાસ્તવમાં RBIએ ગુરુવારે ડિપોઝિટ અને ખાતાઓ અંગે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી. આ સૂચનાઓ બેંકો માટે જાહેર કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આ નવીનતમ સૂચનો હેઠળ બેંકોને કેટલાક કિસ્સાઓમાં રાહત મળશે જ્યારે કેટલાક કિસ્સાઓમાં તેમને હવે કેન્દ્રીય બેંક પાસેથી મંજૂરી લેવી પડશે. RBI એ કહ્યું છે કે, બેંકો હવે તેમની વિદેશી શાખાઓ અથવા સંવાદદાતાઓના નામે રૂપિયા ખાતા (વ્યાજ વગરના) ખોલી અથવા બંધ કરી શકે છે જેમાં કેન્દ્રીય બેંકને જાણ કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
કયા કિસ્સાઓમાં ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી જરૂરી ?
ADVERTISEMENT
જોકે ભારતીય રિઝર્વ બેંકે ડિપોઝિટ અને ખાતાઓ પરના તેના 'માસ્ટર' નિર્દેશમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનની બહાર કાર્યરત પાકિસ્તાની બેંકોની શાખાઓના નામે રૂપિયા ખાતા ખોલવા માટે રિઝર્વ બેંક પાસેથી ખાસ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશી બેંક ખાતામાં જમા કરાવવું એ વિદેશીઓ માટે ચુકવણીનો એક માન્ય માધ્યમ છે અને તેથી તે વિદેશી ચલણમાં ટ્રાન્સફર પર લાગુ પડતા નિયમોને આધીન છે. RBI એ જણાવ્યું હતું કે, બિન-નિવાસી વ્યક્તિના બેંક ખાતામાંથી ઉપાડ એ વાસ્તવમાં વિદેશી ચલણનું રેમિટન્સ છે.
વધુ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત કે વધારો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
વિદેશી બેંક ખાતાઓના ભંડોળ અંગે રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, બેંકો ભારતમાં તેમની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમના ખાતામાં ભંડોળ રાખવા માટે વર્તમાન બજાર દરે તેમના વિદેશી સંવાદદાતાઓ/શાખાઓ પાસેથી મુક્તપણે વિદેશી ચલણ ખરીદી શકે છે. જોકે વિદેશી બેંકો ભારતીય રૂપિયા પ્રત્યે સટ્ટાકીય અભિગમ અપનાવે નહીં તેની ખાતરી કરવા માટે ખાતાઓમાં થતા વ્યવહારો પર નજીકથી નજર રાખવી જોઈએ. આવા કોઈપણ કેસની જાણ રિઝર્વ બેંકને કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.