બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / 1 મે ના રોજ બેન્કો રહેશે બંધ અને શેરબજારમાં પણ નહિ થાય ટ્રેડિંગ, કુલ આટલા દિવસો બેન્ક રહેશે બંધ
Last Updated: 09:57 PM, 30 April 2026
Banks and Stock Market Closed: આવતીકાલે શુક્રવારને 1 મે ના દિવસે દેશમાં ઘણી જગ્યાએ બેન્કો બંધ રહેશે. આ સાથે જ દેશભરમાં શેરબજાર પણ બંધ રહેશે. એટલે કે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) પર કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં. અને બેન્કો બંધ રહેવાને કારણે બેન્કના ઓફલાઇન કામ પણ થઈ શકશે નહીં.
ADVERTISEMENT
આવતીકાલે 1 મે 2026ના રોજ દેશભરમાં ઘણી જગ્યાએ બેંકો અને કેટલીક સરકારી કચેરીઓ બંધ રહેશે. બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસના અવસરે તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંક શાખાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્ર દિવસ અને પંડિત રઘુનાથ મુર્મુની જન્મજયંતિ પણ આ જ દિવસે ઉજવવામાં આવતી હોવાથી વિવિધ રાજ્યોમાં જાહેર રજા રહેશે. જોકે ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે UPI, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે. આવતીકાલે મહારાષ્ટ્ર દિવસ હોવાને લીધે શેરમાર્કેટ બંધ રહેશે.
ADVERTISEMENT
1 મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસ બંનેનું વિશેષ મહત્વ છે. બુદ્ધ પૂર્ણિમાને ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. જે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વનો છે. બીજી તરફ મજૂર દિવસ વિશ્વભરમાં કામદારોના યોગદાનને સન્માન આપવા અને તેમના અધિકારોને માન્યતા આપવા માટે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની રચનાની યાદમાં મહારાષ્ટ્ર દિવસ પણ ઉજવવામાં આવે છે. સાથે જ પંડિત રઘુનાથ મુર્મુની જન્મજયંતિ પણ આ જ દિવસે ઉજવાય છે. જેમણે સંતાલી ભાષા માટે ઓલ-ચીકી લિપિ વિકસાવી હતી અને આદિવાસી સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું.
ADVERTISEMENT
1 મેના દિવસે બેંકો સાથે સાથે શેરબજાર પણ બંધ રહેશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. એટલે કે આ દિવસે શેરની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ રહેશે. બેંકો બંધ હોવાને કારણે આજના ટ્રાન્ઝેક્શનના સેટલમેન્ટમાં પણ એક દિવસનો વિલંબ થઈ શકે છે. રોકાણકારોએ આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મે મહિનામાં પણ અનેક દિવસો પર બેંકોમાં રજાઓ રહેશે. 1 મેના બાદ 3 મે (રવિવાર), 9 મે (બીજો શનિવાર અને રવીન્દ્રનાથ ટાગોર જયંતિ), 10 મે (રવિવાર), 16 મે (કેટલાક રાજ્યોમાં રાજ્ય દિવસ), 17 મે (રવિવાર), 23 મે (ચોથો શનિવાર), 24 મે (રવિવાર), 26 મે (કાઝી નઝરુલ ઇસ્લામ જયંતિ), 27 અને 28 મે (બકરી ઇદ) તેમજ 31 મે (રવિવાર)ના દિવસે બેંકો બંધ રહેશે. તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના બેંકિંગ કામકાજની યોજના આ તારીખોને ધ્યાનમાં રાખીને અગાઉથી બનાવી લે જેથી કોઈ અડચણ ન આવે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.