બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 08:36 PM, 23 April 2023
Body Detox Symptoms:શરીરને સ્વસ્થ રાખવા માટે માત્ર બાહ્ય રીતે સાફ અને સ્વચ્છ રાખવું જરૂરી નથી, પરંતુ આંતરિક સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. જેને ડિટોક્સિફિકેશન કહે છે. આમાં શરીરની અંદર જમા થયેલી ગંદકીને અલગ-અલગ રીતે બહાર કાઢવામાં આવે છે. જેના પછી શરીરના તમામ અંગો પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે છે. શરીર રિફ્રેશ અને ચાર્જ થઈ જાય છે. બીમારીઓ થતી નથી અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવી શકો છો. પરંતુ માત્ર એક જ વાર ડિટોક્સિફિકેશન કરવું પૂરતું નથી, તમારે સ્વસ્થ રહેવા માટે વચ્ચે વચ્ચે કરતા રહેવું જોઈએ.
આ સંકેત છે જે જણાવે છે કે શરીરને ડિટોક્સની જરુર છેઃ
1. દરેક વખતે થાકનો અનુભવ કરવો
જો તમે દિવસભર થાક અનુભવો છો જેના કારણે તમારા રૂટિન વર્ક પર અસર થઈ રહી છે. ચા-કોફી અને એનર્જી ડ્રિંક્સ પણ તેને દૂર કરવા માટે વધુ નથી કરી રહ્યા, તેથી કદાચ તમારા શરીરને ડિટોક્સની જરૂર છે. શરીરને ડિટોક્સ કરવાની ઘણી રીતો છે, જેમાંથી એક હર્બલ પીણાંનું સેવન છે. જેના કારણે શરીર ઉંડાણથી સાફ થઈ જાય છે. ડિટોક્સિફિકેશન પછી શરીર હળવું લાગે છે અને એનર્જી લેવલ પણ વધે છે.
2. વજન ઓછુ ના થવુ
જો તમે વજન ઘટાડવા માટે હજારો પ્રયત્નો કર્યા પછી થાકી ગયા છો, તો તે પણ સૂચવે છે કે તમારું શરીર ટોક્સિન્સથી ભરેલું છે. તો સૌથી પહેલા શરીરમાં જમા થયેલ વેસ્ટ મટિરિયલને બહાર કાઢો અને પછી વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરો. શરીરને ડિટોક્સ કરવા માટે, અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો, હેલ્દી ખાઓ જેમાં ખાસ કરીને ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે અને કેટલાક વિશેષ પ્રકારના યોગ પણ તમને આમાં મદદ કરી શકે છે.
3. કબજિયાત થવી
કબજિયાતનો અર્થ એ છે કે પાચનતંત્રમાં ગરબડ છે. જેના માટે ફાઈબરથી ભરપૂર આહાર અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં જો કબજિયાતની સમસ્યા યથાવત રહે છે તો તે શરીરને ડિટોક્સ કરવાની નિશાની છે. તેથી તમારા આંતરડાને ડિટોક્સ કરવા માટે હર્બલ પીણાં પીઓ, કાચા શાકભાજી અને ફળો ખાઓ. પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો અને હેલ્ધી ખાવા પર ધ્યાન આપો.
4. ઊંઘ ના આવવી
જ્યારે શરીરમાં ઘણા બધા ઝેર જમા થાય છે, ત્યારે તે મેલાટોનિનના સ્તરને ઘટાડીને તમારા નેચરલ સર્કલમાં અડચણ ઉભુ કરે છે, જેના કારણે ટાઇમ વિના ઊંઘ આવે છે નહીં તો અનિદ્રા થઇ જાય છે. ડિટોક્સિફિકેશન આ નેચરલ પ્રક્રિયાને ફરી રુટીન કરે છે, જેનાથી સારી ઊંઘ આવે છે.
5. સોજો
સોજાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારી પાચન તંત્ર એ ખોરાક અથવા ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતું નથી જેમાં ખાંડ અને ચરબી વધારે હોય છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત થાય છે. શરીરને ડિટોક્સ કરવાથી બિનજરુરી કચરો દૂર થાય છે અને આંતરડા ફરી સ્વસ્થ બને છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime