નર્મદાઃ રાજપીપળાના ભાજપના સાંસદ મનસુખ વસાવા પ્રવેશોત્સવના કાર્યક્રમમા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ શિક્ષકો પર આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન તેમણે આક્ષેપ કરતા કહ્યુ કે ખરાબ પરિણામના કારણે શિક્ષકો જવાબદાર છે.
ત્યાર બાદ તેમણે કહ્યુ કે નર્મદાના જ 60થી 70 ટકા જેટલા શિક્ષકો જુગાર રમે છે. વધુમાં કહ્યું કે શિક્ષકો દારૂ પણ પીવે છે. દારૂ અને જુગાર રમનાર શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવી શકે છે.
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી પ્રતિક્રિયા
મહત્વનું છે કે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો પર આક્ષેપ કર્યા હતા કે 60થી 70 ટકા શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે. આ મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ પ્રતિક્રિયા આપી છે કે તેમના આ નિવેદનથી તેઓ સહમત નથી.