બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Big Malai responsible for the quarrel of the collector offices? What is the status of applicants?
Vishal Khamar
Last Updated: 09:18 PM, 24 August 2023
સરકારી કચેરીમાં કોઈ અરજદાર એવી આશાએ જતો હોય છે કે તેનું વ્યાજબી કામ હશે તો સુચારુ રૂપથી થઈ જશે અથવા તો તેના હકને લગતી કોઈ રજૂઆત હશે તો તેને સાંભળવામાં આવશે. હવે રાજ્યમાં સ્થિતિ એવી બને છે કે રજૂઆત સાંભળવાનું તો એક તરફ રહ્યું પણ વ્યાજબી માંગ માટે પણ અરજદારની પહોંચ પ્રમાણે લાંચ માંગવામાં આવે છે. કલેક્ટર કચેરી સહિત અનેક સરકારી કચેરી છે કે જ્યાં ફાઈલ ઉપર વજન ન મુકો તો તમારી ફાઈલ આગળ ન વધે. પરિસ્થિતિ વધુ ત્યારે વકરી જ્યારે આવા જ મલાઈ ખાવાના કિસ્સામાં ઉચ્ચસ્થાને બેઠેલા અધિકારીઓ સપડાયા અને ફોજદારી કાર્યવાહી સુધીની નોબત આવી.
કલેક્ટર કચેરીની વાત કરીએ તો તેમાં મહેસૂલી કામકાજ વ્યાપક પ્રમાણમાં રહેતું હોય છે. બિનખેતીની જમીન માટે અનેક અરજદાર આવતા હોય છે અને આ કામ માટે જ મસમોટી મલાઈ માંગવામાં આવે છે. તાજુ અને વરવુ ઉદાહરણ આણંદના કલેક્ટરના હનીટ્રેપના કિસ્સાવાળુ છે કે જેમાં કલેક્ટરે ફાઈલ ક્લીયર કરી દીધી હોય પરંતુ ફિંગરપ્રિન્ટની એન્ટ્રી કરવાના નામે ઠાગાઠૈયા કરવામાં આવે છે અને જ્યાં સુધી રૂપિયા ન મળે ત્યાં સુધી 7/12ના ઉતારામાં એન્ટ્રી થતી નથી. રાજ્યમાં તાજેતરમાં બે કેસ તો એવા છે કે જે સામે આવ્યા અને તેમા ખુલાસાઓ થયા, પરંતુ બંધબારણે તો રાજ્યની કેટલીય કચેરીઓમાં આવા વહીવટ ચાલતા હશે અને સરવાળે અરજદારોને જે પરેશાની થતી હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી. તમામ સ્તરે નેતા, અધિકારી અને કર્મચારીઓની સમજણપૂર્વકની હિસ્સેદારી હોય ત્યારે અરજદારોની સ્થિતિ શું થાય.
કલેક્ટર ઓફિસોમાં ઝઘડા, વિવાદ સામાન્ય બની ગયા છે. જમીન બિનખેતીમાં ભાગબટાઈના અનેક કિસ્સા આવ્યા છે. કલેક્ટર કક્ષાના અધિકારી બિનખેતીની જમીનના મુદ્દે સકંજામાં આવ્યા. તમામ સ્તરે સમજણપૂર્વક `વહીવટ'માં હિસ્સેદારી હોવાનો ઘાટ છે. અરજદારોની શું હાલત થતી હશે તે મોટો પ્રશ્નન છે. બિનખેતીની ફાઈલ ક્લીયર કરવાના મુદ્દે વિવાદના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. મોટાભાગના વિવાદ પાછળ ફાઈલો ક્લીયર કરવા માટેની ભાગબટાઈ જવાબદાર છે.
આણંદ સ્પાયકાંડમાં નવો ખુલાસો શું?
આણંદ સ્પાયકાંડમાં બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા અંગે ખુલાસો થયો. નાયબ મામલતદાર જે.ડી.પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા અરજદારોને હેરાન કરતો હતો. રૂપિયા લીધા વગર જે.ડી.પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરતો ન હતો. કલેક્ટર કચેરી બિનખેતીની ફાઈલ મંજૂર કરે છે. બિનખેતીની ફાઈલની 7/12ના ઉતારામાં એન્ટ્રી કરવાની હોય છે. જે.ડી.પટેલના ફિંગરપ્રિન્ટની એન્ટ્રી 7/12ના ઉતારામાં પડતી હતી. જે.ડી.પટેલ ફિંગરપ્રિન્ટ નહીં કરીને નોંધણીમાં ઠાગાઠૈયા કરતો હતો. તેમજ રૂપિયાની લેતી-દેતી માટે જે.ડી.પટેલે મળતીયો પણ રાખ્યો હતો. મળતીયા હરીશ ચાવડાની કારમાંથી ફિંગરપ્રિન્ટ મશીન મળી આવ્યું હતું. પોતાને મળેલી સત્તાનો જે.ડી.પટેલે દુરુપયોગ કર્યો હતો.જેથી કલેક્ટર કચેરી તરફથી બિનખેતીની ફાઈલનો સમયસર નિકાલ થતો હતો. નોંધ પાડવા માટેનો વહીવટ થયા બાદ જ ફિંગરપ્રિન્ટ થતી હતી.
એસ.કે.લાંગાનો કેસ શું છે?
એસ.કે.લાંગા એપ્રિલ 2018થી નવેમ્બર 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર હતા. આ સમયે એસ.કે.લાંગાએ સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરી હતી. એસ.કે.લાંગાએ ભ્રષ્ટાચાર માટે તત્કાલીન ચીટનીસ અને RACનો પણ સાથ લીધો. નવી શરતની જમીનને જૂની શરતમાં બતાવી દેવામાં આવી. ખેડૂત ન હોવા છતાં કેટલાક લોકોને ખેડૂત બતાવી દેવાયા. નિવૃતિ પછી પણ લાંગા સામે જૂની તારીખમાં સહી કરી હોવાની ફરિયાદ.
આણંદ હનીટ્રેપ પાછળ `વહીવટ' જવાબદાર!
આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાયકાંડ પાછળ બિનખેતીની જમીનનો મુદ્દો જવાબદાર હતો. હનીટ્રેપમાં ફસાયેલા કલેક્ટર ડી.એસ.ગઢવીને ફાઈલોના મુદ્દે જ ખટરાગ હતો. સસ્પેન્ડેડ એડી.કલેક્ટર કેતકી વ્યાસ સાથે ફાઈલોના ક્લીયરન્સ મુદ્દે વિવાદ હતો. નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ તેમા સામેલ હતા. બિનખેતીની ફાઈલ કલેક્ટર કચેરી તરફથી ક્લીયર થઈ જતી હતી. પરંતું અન્ય મળતીયાઓ નોંધણી માટે લાંચ માંગતા હતા. જેથી અરજદારોને ધક્કા ખાવા પડતા હતા. વહીવટી વિવાદમાં જ મામલો સ્પાયકાંડ સુધી પહોંચ્યો હતો.
બિનખેતીની જમીન અંગે કલેક્ટરની સત્તા શું?
સરકારે બિનખેતીની જમીનના કાયદામાં તાજેતરમાં સુધારો કર્યો છે. સરકારે નવા સુધારામાં કલેક્ટરની સત્તામાં વધારો કર્યો હતો. આ સુધારો બિનખેડૂત વ્યક્તિ જમીન ખરીદવા માંગતો હોય તેના માટે છે. કલેક્ટર પહેલા 2 વર્ષ સુધી બિનખેતીની જમીનના ઉપયોગની પરવાનગી આપતા હતા. હવે નવા સુધારા પ્રમાણે કલેક્ટર 5 વર્ષ સુધી બિનખેતી ઉપયોગને લંબાવી શકે છે. ત્યારબાદ યોગ્ય લાગે તો આ સમયગાળો 10 વર્ષ સુધી લંબાવી શકાય છે. સમયગાળો લંબાવવા માટે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી જરૂરી છે. આ અંગે સરકાર જે પ્રિમિયમ નક્કી કરે તે ભરવાની જોગવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime