બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / આરોગ્ય / Benefits of fig water: Why should you drink fig water on an empty stomach in the morning? Know the amazing benefits
Pravin Joshi
Last Updated: 09:10 AM, 4 October 2023
અંજીરને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં ઘણા ગુણધર્મો છે, જે સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આ ડ્રાય ફ્રુટ પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. અંજીરનું પાણી પીવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. હા, સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી શરીરની ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે..
પાચનતંત્રને સ્વસ્થ રાખે છે
અંજીરનું પાણી ડિટોક્સ ડ્રિંકનું કામ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી મળ પસાર થવાની પ્રક્રિયા સરળ બને છે. આ સિવાય આ પાણી આંતરડાના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
જો તમે દરરોજ સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીતા હોવ તો તેનાથી હૃદયની તંદુરસ્તી વધે છે. તે ફાઈબર અને પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત છે. આને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જે તમને ફિટ રાખશે.
વજન ઘટાડવામાં મદદરૂપ
તમે તમારા વજન ઘટાડવાના આહારમાં અંજીરનું પાણી સામેલ કરી શકો છો. જે લોકોએ વજન કંટ્રોલ કરવું હોય તેમણે સવારે ખાલી પેટ આ પાણી પીવું જોઈએ, તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે, જે વજન ઘટાડવામાં મદદ કરશે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે
પોષક તત્વોથી ભરપૂર અંજીર બ્લડ સુગરના સ્તરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે અંજીરનું પાણી પીવાથી ટાઇપ-2 ડાયાબિટીસમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રણમાં રહે છે. જો તમે ઇચ્છો તો સ્મૂધી અથવા સલાડમાં અંજીર પણ સામેલ કરી શકો છો.
હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
અંજીરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે દરરોજ અંજીરનું પાણી પીવું જોઈએ, જે બ્લડ પ્રેશરના સ્તરને સામાન્ય બનાવી શકે છે.
ડિસ્ક્લેમર : લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime