બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ભારત / because of Ayodhya Ram mandir pran pratishtha flight and hotel rents for 22 january are very much increased
Vaidehi
Last Updated: 12:55 PM, 15 January 2024
પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહને હવે થોડા જ દિવસો બચ્યાં છે. 22 જાન્યુઆરીનાં રોજ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સમારોહ માટે હજારો લોકોને આમંત્રણ પહોંચી ગયાં છે. જો તમે 22 જાન્યુઆરીની આસપાસ અયોધ્યા પહોંચવા ઈચ્છો છો તો તમને આ યાત્રા ઘણી મોંઘી પડી શકે છે કારણકે આ તારીખોની આસપાસ અયોધ્યાની હોટેલ્સ અને ફ્લાઈટ્સનાં ભાવ આસમાને પહોંચી ગયાં છે. ઈઝ માય ટ્રિપ, થોમસ કુક અને SOTC જેવા ટ્રાવેલ પોર્ટલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે 6-7 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે જેમાં અનેક રાજનેતા અને સેલિબ્રિટી પણ સામેલ છે.
ફ્લાઈટ્સનાં ભાવ આસમાને
થોમસ કુક અને SOTC ટ્રાવેલ અનુસાર મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, કોલકત્તા, હૈદ્રાબાદ અને ચૈન્નઈથી અયોધ્યાની ફ્લાઈટની ટિકિટ 20થી 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 22 જાન્યુઆરીવાળા અઠવાડિયામાં ફ્લાઈટનું ભાડું બીજા દિવસોની તુલનામાં ઘણું વધારે છે. મેક માય ટ્રિપ પર સોમવારે 22 જાન્યુઆરી માટે મુંબઈથી અયોધ્યાનાં વનવે ફ્લાઈટની ટિકિટનું ભાડું 17900 રૂપિયાથી 24600 રૂપિયા સુધીનું દેખાડી રહ્યાં છે. જ્યારે 21 જાન્યુઆરીનાં નોન સ્ટોપ ફ્લાઈટનું ભાડું 20699 રૂપિયા દર્શાવી રહ્યાં છે. કોલકત્તાથી અયોધ્યા માટે 20 જાન્યુઆરી માટે ફ્લાઈટ ટિકિટ 19456 રૂપિયાથી 25761 રૂપિયાની વચ્ચે દેખાડી રહ્યાં છે.
વધુ વાંચો: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદ્યો મુંબઇથી પણ વધારે મોંઘો પ્લોટ, જાણો કેમ, કિંમત છે કરોડોમાં
હોટલનું એક રાતનું ભાડું 70000 રૂપિયા
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં આશરે 7000 મહેમાનોનાં પધારવાની આશા છે. આ બાદ દરરોજ 3-5 લાખ લોકો અયોધ્યા પહોંચી શકે છે. રામમંદિરનાં ઉદ્ધાટનને લીધે અયોધ્યા હોટલ્સ ફુલ બુક થઈ ગઈ છે. જેના લીધે હોટલોનાં રૂમનાં ભાડાં પણ વધી ગયાં છે. 80-100% રૂમ ભરાઈ ગયાં છે. જ્યારે કેટલીક હોટેલ્સમાં એક રાત્રીનું ભાડું 70 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog