બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 05:15 PM, 22 November 2023
સંપૂર્ણ ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધીરે-ધીરે તાપમાન ઓછું થવાથી હવામાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ફરવા અને ખાવા-પીવા માટે આ ઋતુ ખૂબ જ સારી માનવામાં આવે છે. આ મૌસમમાં સ્વાસ્થ્યની કાળજી લેવી અને સ્વસ્થ રહેવું ખૂબજ જરૂરી છે. વાઇરસ અને બેક્ટેરિયાથી ઇન્ફેકશન થઈ શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે આ ઋતુમાં મુશ્કેલીઓ વધી જાય છે, અને તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવતા અઠવાડિયા સુધીમાં ઠંડી વધી જશે. ડૉક્ટરથી જાણીએ કે શિયાળામાં લોકોને કઈ બીમારીઓ થવાનો જોખમ રહે છે.
વાતાવરણમાં પરિવર્તનના કારણે થતાં રોગથી બચવા માટે ટિપ્સ
નવી દિલ્લીના સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેન્ટીવ હેલ્થ અને વેલનેસ ડિપાર્ટમેંટના ડૉક્ટર સોનિયા રાવતના જણાવ્યા મુજબ જ્યારે મૌસમમાં બદલાવ થાય ત્યારે વાઇરસ અને બેક્ટેરિયાના ચેપનું ફેલાવાનું જોખમ વધી જાય છે. શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસ, ગળામાં ઇન્ફેકશન, તાવ, અસ્થમા, ન્યુમોનિયા અને સાંધાના દુખાવાની સમસ્યાના મોટાં ભાગના કેસ જોવા મળે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેમને મૌસમી રોગ સૌથી વધુ થાય છે. આ હવામાનમાં જલ્દીથી વાઇરસ અને બેક્ટેરિયા ફેલાય છે, અને લોકો તેના સંપર્કમાં આવી જલ્દીથી સંક્રમિક થઈ જાય છે. દરેક ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાવા લાગે છે. આથી દર્દીઓની સંખ્યા જલ્દીથી વધી જાય છે. શરદી-ઉધરસ જેવા વાઇરસ ઉધરસ કે છિક ખાવાથી ફેલાય છે. એટલે તેનાથી સાવચેતી રાખો.
ફ્લૂ વેક્સિન લગાડવાથી ઓછો થશે ખતરો
ડૉ. સોનિયાની રાવતના કહ્યા મુજબ શિયાળામાં થતી સામાન્ય બીમારીઓથી બચવા માટે ફ્લૂ વેક્સિન [ફલૂની રસી] લેવી જોઈએ. તેને ફલૂ શૉટ પણ કહેવામાં આવે છે. આ રસી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. જેથી લોકોમાં ચેપ ફેલાવાની સમસ્યા ઘણી ઓછી થઈ જાય છે. ફ્લૂ શૉટ લગાવાથી મૌસમી ફલૂનો ખતરો 40-60 ટકા સુધી ઓછો થઈ જાય છે. ફ્લૂ વેક્સિન લોકોના સ્વાસ્થ્ય માટે સારી ગણવામાં આવે છે, પણ જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
શિયાળામાં બીમારીઓથી કેવી રીતે બચવું
શિયાળામાં તંદુરસ્થ રહેવા માટે ઠંડીથી બચવું જોઇએ. વધુ ઠંડા વાતાવરણમાં જરૂર વગર ઘરની બહાર ન જવું જોઇએ અને ઠંડીથી બચવા યોગ્ય કપડાં પહેરવા જોઇએ. 30 મિનિટ જેટલી શારીરિક કસરત કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ નહીં થાય. જંક ફૂડ ખાવાથી બચવું જોઇએ, ઘરમાં બનાવેલો તાજો ખોરાક જ ખાવો જોઇએ. તમારા આહારમાં વિટામિન c નો ઉમેરો કરો. વધુ પ્રમાણમાં શાકભાજી, તાજા ફળ અને સૂકા મેવાનો સમાવેશ કરો. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ. સંતરા, આંબળા જેવા ખાટા ફળો ખાવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime