બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બંધ થઇ જશે તમારું આયુષ્માન કાર્ડ! આજે જ પતાવી દો આ કામ, નહીંતર અટકી જશે સારવાર
6 ફોટો ગેલેરી
Last Updated: 09:22 AM, 14 August 2026
1/6
આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની સારવારનો લાભ મળે છે. પરંતુ માત્ર કાર્ડ બનાવી લીધું હોય એટલાથી કામ પૂરું થતું નથી. આધારની વિગતો બદલાઈ હોય અથવા e-KYC અધૂરી હોય તો કાર્ડની માહિતી અપડેટ કરવી જરૂરી બની શકે છે.ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા મોબાઇલથી ઘરે બેઠા પણ કરી શકાય છે.
2/6
જો તમારા આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અથવા લિંગ જેવી વિગતો અપડેટ કરવામાં આવી છે તો આયુષ્માન કાર્ડમાં પણ તે માહિતી યોગ્ય હોવી જરૂરી છે. બંને દસ્તાવેજોમાં માહિતી અલગ હોય તો લાભ લેતી વખતે વેરિફિકેશનમાં મુશ્કેલી આવી શકે છે. જૂના કાર્ડમાં e-KYC અધૂરી હોય અથવા સ્ટેટસ અપડેટ ન થયો હોય તો પણ e-KYC કરવાની જરૂર પડી શકે છે. તેથી કાર્ડ ધારકોએ સમયસર પોતાની વિગતો ચકાસી લેવી જોઈએ.
3/6
આયુષ્માન કાર્ડમાં ફોટો સ્પષ્ટ ન હોય તો તેને પણ અપડેટ કરવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત મોબાઇલ નંબર, સંબંધ અને પિનકોડ જેવી માહિતીમાં ફેરફાર હોય તો જરૂરી મુજબ તેને સુધારી શકાય છે. e-KYC દરમિયાન આધાર સાથે મેળ ખાતી માહિતી જ દાખલ કરવી જરૂરી છે. ખોટી માહિતી આપવાથી વેરિફિકેશનની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
4/6
સૌથી પહેલાં મોબાઇલમાં Ayushman App ઇન્સ્ટોલ કરો. એપ ખોલીને Loginમાં Beneficiary વિકલ્પ પસંદ કરો અને મોબાઇલ નંબર તથા OTPની મદદથી લોગિન કરો. ત્યારબાદ રાજ્ય, યોજના અને જિલ્લો પસંદ કરીને આધાર નંબર અથવા રેશન કાર્ડ નંબરથી લાભાર્થીની વિગતો શોધો. પરિવારના જે સભ્યની e-KYC કરવાની છે તેના નામ સામે દેખાતા e-KYC અથવા Redo e-KYC વિકલ્પ પર ક્લિક કરો.
5/6
e-KYC માટે Aadhaar OTP, Face Authentication અને Fingerprint જેવા વિકલ્પો મળી શકે છે. Aadhaar OTP પસંદ કર્યા બાદ આધાર સાથે લિંક મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરવાનો રહેશે. વેરિફિકેશન બાદ એપમાં જરૂરી વિગતો અપડેટ કરી શકાય છે. ત્યારબાદ લાઇવ ફોટો લેવાનો હોય તો એપમાં જ ફોટો ક્લિક કરીને અપલોડ કરો અને બધી માહિતી ચકાસ્યા બાદ Submit કરો.
6/6
e-KYC અધૂરી હોય અથવા આધાર અને આયુષ્માન કાર્ડની વિગતોમાં મેળ ન હોય તો સારવારનો લાભ મેળવતી વખતે વેરિફિકેશનમાં અડચણ આવી શકે છે. ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં આવી સમસ્યા વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. કેટલાક કિસ્સામાં હોસ્પિટલના ક્લેમની પ્રક્રિયામાં પણ સમસ્યા અથવા વિલંબ થઈ શકે છે. એટલે તમારું આયુષ્માન કાર્ડ છે તો તેની e-KYC સ્થિતિ અને વિગતો સમયસર ચકાસી લેવી સમજદારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ