બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શરદી-ઉધરસ ઘર કરી ગઈ છે? પરેશાની છોડો, માત્ર 1 વસ્તુથી મળશે કાયમી છુટકારો
Last Updated: 04:15 PM, 15 October 2024
બદલાતી ઋતુમાં ઈમ્યુનિટી કમજોર થઈ રહી છે અને ઘણી સિઝનલ બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે. સિઝનલ બીમારીઓમાં શરદી-ખાંસી અને તાવ સૌથી વધારે પરેશાન કરે છે. એવામાં સિઝનલ ફ્લૂથી બચવા માટે મુલેઠીનું સેવન ખૂબ જ જરૂરી છે. તેનો સ્વાદ ખાંડના જેવો ગળ્યો હોય છે. તેનું સેવન ઘણા પ્રકારે કરી શખાય છે.
ADVERTISEMENT

મુલેઠીમાં સુક્રોઝ, સ્ટાર્ચ, પ્રોટીન, ક્લેવોનોયડ અને સેપોનિન મળી આવે છે. તેનું સેવન જો શરદી ખાંસીમાં ઉકાળો બનાવીને પીવામાં આવે તો ગળાને રાહત મળે છે. તાવ કંટ્રોલમાં રહે છે અને ઈમ્યુનિટી પણ સ્ટ્રોન્ગ થાય છે. આવો જાણીએ મુલેઠીનું સેવન કેવી રીતે શરદી-ખાંસી અને તાવમાં કરી શકાય અને તેનો ઉકાળો કેવી રીતે બનાવી શકાય.
ADVERTISEMENT

શરદી-ખાંસી તાવની સારવાર
ADVERTISEMENT
મુલેઠી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હર્બ છે જેનું સેવન શિયાળામાં ઘણા પ્રકારની બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ અને એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ હોય છે જે ઘણા પ્રકારની બામારીઓની સારવાર કરે છે.

ADVERTISEMENT
શિયાળામાં શરદી ખાંસી અને ગળાની ખીચખીચને દૂર કરવામાં મુલેઠીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મુલેઠીના એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ ગળાના સોજાને કંટ્રોલ કરે છે અને ખાંસીથી રાહત આપે છે.
વધુ વાંચો: ભારતીય પોતાની કમાણીના કેટલા રૂપિયા હરવા ફરવા પાછળ કરે છે ખર્ચ? આંકડો જાણી મગજ ચકરાઈ જશે
ADVERTISEMENT
મુલેઠીનો ઉકાળો બનાવવાની રીત
ADVERTISEMENT
ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા પણીને ઉકાળો. તેમાં મુલેઠી પાઉડર અને આદુ નાખો. આ પાણીને ફરીથી 10-15 મિનિટ સુધી ઉકાળો. 15 મિનિટ બાદ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરો અને તેનું સેવન કરો. શરદી ખાંસમાં રાહત મેળવવા માટે આ ઉકાળાનું સેવન તમે દિવસમાં બેથી ત્રણ વખત કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.