અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનું આમંત્રણ પત્ર સામે આવ્યું છે. જેમાં પક્ષકાર ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જ્યારે બપોરે 5 વાગે પીએમ મોદી પૂજનમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત આરએસએસના પ્રમુખ મોહન ભાગવત વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે.
પક્ષકાર ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી આમંત્રણ લખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભૂમિ પૂજન અને કાર્ય પ્રારંભ નરેન્દ્ર મોદીના કર કમલો દ્વારા થશે. વિશેષ અતિથિ તરીકે આરએસએસના પ્રમુખ મોહન ભાગવત શોભા વધારશે.
કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે આ ક્રાર્યક્રમમાં ભૂમિ પૂજન 5 ઓગસ્ટન બપોરે 12.30 વાગે કેટલાક સિલેક્ટેડ લોકોની હાજરીમાં કરવામાં આવશે.
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ચોક્કસથી હાજરી આપશે. તેમને આ આમંત્રણ શ્રીરામની મરજીથી મળ્યું છે. અયોધ્યામાં ગંગા- જમુનાના સંસ્કાર યથાવત છે. હું હમેંશા મઠ - મંદિરોમાં જતો રહેતો હોવ છું. કાર્ડ મળ્યુ છે જેથી ચોક્કસ જઈશ. ઈકબાલ અંસારી પીએમ મોદીને રામ ચરિત માનસ અને રામનામાં ભેટ કરશે.