બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astro tips for money keep these things under the pillow before sleeping to change your luck

વાસ્તુ ટિપ્સ / રાતે સૂતાં સમયે ઓશિકા નીચે રાખો આ વસ્તુ: બદલાઈ જશે નસીબ, ક્યારેય ખાલી નહીં રહે તિજોરી

Kishor

Last Updated: 07:21 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર સુતી વખતે તકિયાની નીચે હળદર સહિતની વસ્તુ રાખીને સુવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે.

  • જીવનમાં તમામ ક્ષેત્રે સમૃદ્ધિ લાવવા તકિયા નીચે રાખો આ વસ્તુ
  • ગ્રહોની ખરાબ સ્થિતિ સુધારવામાં છે ફાયદાકારક
  • સોપારી હળદરનો ગાઠિયો છે ઉપયોગી

દરેક વ્યક્તિના જીવન પર ગ્રહો અને નક્ષત્રોની ચોક્કસ અસર પડતી હોવાનો જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગ્રહોની ખરાબ સ્થિતિને પગલે વ્યક્તિનો વિકાસ અટકી જાય છે અને તેમને વેપાર, કરિયર અને સ્વાસ્થ્ય તથા આર્થિક બાબતોમાં ખૂબ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનું નિત્યક્રમ અનુસાર અનુકરણ કરવાથી અમુક સમસ્યાઓનો અંત આવી શકે છે અને આર્થિક સહિતની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે તકિયા નીચે અમુક વસ્તુ રાખીને સુવાથી પણ આર્થિક સંકળામણ દૂર થઈ જતી હોવાનો પણ જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી!

અનેક રોગોમાં લાભદાયક છે હળદર, જાણો તેના ફાયદા | turmeric benefits turmeric  is beneficial in many diseases

ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે
સ્કંદ પુરાણમાં થયેલ ઉલ્લેખ અનુસાર સમુદ્ર મંથન વેળાએ દેવતાઓએ સોપારીના પાનનો ઉપયોગ કર્યો હતો.  જેને લઈને જ હાલ પૂજામાં સોપારીના પાનનો ઉપયોગ કરાઈ છે. દેવીને સોપારીનો ભોગ ધરવામાં આવે તો શુભ ફળ મળે છે. તેની સાથે જ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

સોપારીના સેવનથી થશે આ બીમારીઓ દૂર, પેશાબમાં બળતરા સહિત અનેક પીડા દૂર કરશે આ  દેશી ઉપચાર supari or betel nut benefits for health issue

આવકની પણ અનેક તક મળે છે
એક પાનના પત્તા (સોપારી) લઈ સોપારીના છેડાના ખૂણામાં થોડું સરસવનું તેલ લગાવો. આ પછી, તેને આ રીતે સીધા ઓશીકા નીચે રાખવો જોઈએ આ  9 દિવસ સુધી કરવાથી ફળ મળી શકે છે. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધંધા અને નોકરીમાં અદભુત સફળતા મળે છે અને આવકની પણ અનેક તક મળે છે તથા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

દરેક શુભ કાર્યમાં ઉપયોગ આવતા હળદરના ગાઠિયો પણ વ્યક્તિની સ્થિતિને સુધારી શકે છે. જે કુંડળીમાં ગુરુની સ્થિતિને સુધારી સમૃદ્ધિ આપી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં દેવતાઓના ગુરુ ગણાતા ગુરુને હળદરનો સ્વામી માનવામાં આવે છે. ત્યારે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે હળદરનો એક ગઠ્ઠો સ્વચ્છ કપડામાં બાંધીને તકિયાની નીચે રાખવો જોઈએ. આમ કરવાથી વ્યવસાય અને નોકરીમાં સફળતા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ