વચ્ચે એક અફવા ફેલાઇ હતી કે હું મરી ગયો છુંઃ રવિન્દ્ર જાડેજા
જાડેજા અને હાર્દિક પંડ્યાની ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે જીત્યો હતો મુકાબલો
ટીમ ઇન્ડિયાના ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, તેઓ મેદાનની બહાર ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન નથી આપતા અને તેઓ સમગ્ર ફોકસ હાલ એશિયા કપ અને આગામી ટી-20 વર્લ્ડ કપમાં દેશ માટે શાનદાર પ્રદર્શન કરવા પર છે. ઉલ્લેખનીય છે કે જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર પરફોન્સ કરતા 35 રનની ઇનિંગ રમી હતી. જાડેજા અને હાર્દિક પંડ્યાની ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે તે મુકાબલો 5 વિકેટથી પોતાના નામે કર્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ હોંગકોંગ વિરૂદ્ધ મુકાબલા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, તમે એક ખુબ જ મામૂલી ઉદાહરણ(અફવાહ નું) ઉલ્લેખ કર્યો કે હું વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ નહીં રહું. વચ્ચે એક અફવા ફેલાઇ હતી કે હું મરી ગયો છું. તેનાથી મોટી અફવા કોઇ ન હોઈ શકે. હું આ તમામ અફવાઓ અંગે નથી વિચારતો. હું મેદાન પર જવા, રમવા અને દેશ માટે સારા પરફોમન્સ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું.
જોકે ટીમનું ધ્યાન હોંગકોંગ મેચ પર
જાડેજાએ એશિયા કપને લઇને કહ્યું કે, ભારત ટી-20 વર્લ્ડ કપમાં સારુ પરફોમન્સ કરવા માટે ઉત્સુક છે પરંતુ હાલ હોંગકોંગ સામે આગામી મેચ અને પછી સુપર-4 સ્ટેજ પર સૌનું ધ્યાન છે.
જાડેજાએ કહ્યું કે, અમે સકારાત્મક ક્રિકેટ રમવા માંગીએ છીએ અને દરેક રમતમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશું. અમારુ ધ્યાન હોંગકોંગ સામે મેચ પર છે. ત્યારબાદ અમે જોઈશું કે કઇ ટિમ સામે રમવાનું છે. જો ભારત બુધવારે હોંગકોંગ ને હરે હરાવી દઇએ છીએ તો સુપર-4માં પોતાની જગ્યા પાક્કી થઇ જશે.