બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ashadhi Tolwani Parpara in Anand's Umreth
Dinesh
Last Updated: 11:08 PM, 5 July 2023
આણંદ જિલ્લાના ઉમરેઠએ અતિપ્રાચીન નગરી છે ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે. કાશી અને ઉમરેઠની ઘણી બધી સામ્યતા છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની પરંપરા છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં પૂનમના દિવસે સાંજના સમયે જૂદા જૂદા દસ ધાન્યોને જોખી કરવામાં આવે છે.
વજનમાં થયેલા ફેરફાર ને અષાઢી કહેવાય
આ સાથે એક કોરા કટકાની પોટલીમાં મુકી તમામ ધાન્યો એક કુંભમાં રાખીને ગર્ભગૃહમાં આવેલ એક ચમત્કારી ગોખમાં મુકી સદર ગોખને પંચો સમક્ષ શીલ કરી દેવામાં આવ્યો હતો. જે અષાઢી બીજના દિવસે પૂનઃ પંચો સમક્ષ ખોલીને તમામ ધાન્યોને પૂનઃ જોખવામાં આવ્યા હતા. ધાન્યોના વજનમાં થયેલા ફેરફાર ને અષાઢી કહેવાય છે અને તેમાં થયેલ વધઘટને આધારે ખેડૂતો અને વહેપારીઓ જેતે પાક કેવો થશે તેનું અનુમાન લગાવે છે
અષાઢી જોખવાની શું છે પરંપરા
અષાઢી જોખવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયા પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં પૂનમના દિવસે સાંજના સમયે જૂદા જૂદા ધાન્યોને જોખી એક કોરા કટકાની પોટલીમાં મુકી તમામ ધાન્યો એક કુંભમાં મુકીને મહાદેવના ગર્ભગૃહમાં આવેલ એક ચમત્કારી ગોખમાં મુકી સદર ગોખને પંચો સમક્ષ શીલ કરી દેવામાં આવ્યો છે. જે અષાઢી બીજના દિવસે પૂનઃ પંચો સમક્ષ ખોલીને તમામ ધાન્યોને પૂનઃ જોખવામાં આવ્યા હતા. ધાન્યોના વજનમાં થયેલા ફેરફારને અષાઢી કહેવાય છે અને તેમાં થયેલ વધઘટને આધારે ખેડૂતો અને વેપારીઓ જેતે પાક કેવો થશે તેનું અનુમાન લગાવે છે
આષાઢીનાં વર્તારા
આષાઢીનાં વર્તારા પ્રમાણે આવનાર વર્ષ વીસઆની રહેશે એટલે કે ખૂબ જ સારું રહેશે અને દરેક પાક ખુબજ સારો થશે. તલ, મગ અને ઘઉં વધારે હોવાથી શિયાળુ પાક ખુબજ સારો રહેશે તેમજ મગ તથા ડાંગરનું પ્રમાણ વધારે તથા બાજરી ઓછી હોવાથી તેને આધારીત વરસાદ ઉતરતા ચોમાસે સારો થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો