બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / anantnag encounter indian army officer terrorist killed jammu kashmir police
Manisha Jogi
Last Updated: 08:35 AM, 15 September 2023
અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે અને આતંકીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ થતા ભારતના કુલ ચાર જવાન શહીદ થયા છે. અનંતનાગમાં લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અનંતનાગમાં બુધવારે આતંકીઓ અને સુરક્ષાબળો અથડામણ શરૂ થઈ હતી, જેમાં ભારતીય સેનાના 2 જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના એક ઓફિસર શહીદ થયા હતા. ગુરુવારના રોજ બે જવાન ગંભીર રીતે ધાયલ થતા ભારતીય સેનાના કુલ 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.
આતંકીઓની ઓળખ
જમ્મુ કાશ્મીર પોલીસે અથડામણવાળા વિસ્તારમાં એક સ્થાનિક આતંકી ઉજૈર ખાન અને એક વિદેશી આતંકી હોવાની પુષ્ટી કરી છે. સુરક્ષાબળોએ એક આતંકી ઠાર કર્યો છે તથા અન્ય આતંકીનો શોધખોળ કરવામાં આવી રહી છે.
પોલીસનો સૂત્રધાર આતંકીઓનો એજન્ટ નીકળ્યો
પોલીસનો સૂત્રધાર આતંકીઓનો એજન્ટ નીકળ્યો છે. આ સૂત્રધારે આતંકીઓને આર્મી અને પોલીસના આવવાની સૂચના આપી હતી. સેના અને આર્મીની ટીમ કેટલી સંખ્યામાં અને કેવી રીતે આવી રહી છે, તે તમામ બાબતોની જાણકારી આતંકવાદીઓને આપી હતી.
ચાર જવાન શહીદ
શહીદ કર્નલ મનપ્રીત સિંહ
શહીદ કર્નલ મનપ્રીત સિંહ છેલ્લા ચાર વર્ષથી અનંતનાગમાં પોસ્ટેડ હતા અને તેમને તેમની વીરતા માટે અનેક વાર મેડલથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે. 41 વર્ષીય કર્નલ મનપ્રીત સિંહ પંજાબના મોહાલીમાં રહેતા હતા. તેમના પરિવારમાં તેમની માતા, ભાઈ, પત્ની અને 6 વર્ષની દીકરી છે. કર્નલ મનપ્રીત સિંહ બે દિવસ પછી દીકરીના જન્મદિવસ માટે ઘરે આવવાના હતા.
શહીદ મેજર આશીષ ધૌનેક
શહીદ મેજર આશીષ ધૌનેકનો પરિવાર સાથે હરિયાણાના પાણીપત સેક્ટર-7માં રહે છે. 36 વર્ષીય શહીદ મેજર આશીષ ધૌનેકના પાર્થિવ શરીરના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શહીદ હુમાયૂં મુજમ્મિલ ભટ
અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસ DSP હુમાયૂં મુજમ્મિલ ભટ શહીદ થયા છે. બુધવારે બડગામમાં 29 વર્ષીય શહીદ હુમાયૂં મુજમ્મિલ ભટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime