બ્રેકિંગ ન્યુઝ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકારનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ સેલિબ્રેશનની શરૂઆત કરતા મુકેશ અંબાણીએ કહ્યું જ્યારે પણ હું અનંતને જોવું છું તો મને તેમાં પોતાના પિતા ધીરૂભાઈ દેખાય છે.
ADVERTISEMENT

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં અમે મહેમાનોને અતિથિ કહીને સંબોધિત કરીએ છીએ. આપણે અતિથિ દેવો ભવઃ કહીએ છીએ. જેનો મતલબ થાય છે કે અતિથિ ભગવાનની જેમ હોય છે. તમે બધાએ આ લગ્નના માહોલને મંગળમળ બનાવી દીધો છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે આજે અનંત અને રાધિકા જીવનભરની ભાગીદારીની યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. આજે મારા પિતા ઘીરૂભાઈ સ્વર્ગથી અમને આશીર્વાદ આપી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આજે તે ખૂબ જ ખુશ હશે કારણ કે અમે તેમના પૌત્ર અનંતના જીવનની સૌથી સ્પેશિયલ ક્ષણોનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ.
મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારા પિતા અને મારી કર્મભૂમિ રહી છે. એક એવી જગ્યા જ્યાં અમને અમારૂ મિશન, જુનૂન અને ઉદ્દેશ્ય મળ્યો. આજથી ત્રણ વર્ષ પહેલા જામનગર બિલકુલ બંજર જમીન હતી પરંતુ આજે તમે અહીં જે જોઈ રહ્યા છો તો ધીરૂભાઈનું સપનું સાકાર થયું છે.
ADVERTISEMENT
.jpg)
"મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે"
મુકેશ અંબાણીએ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો મતબલ છે જેનો કોઈ અંત ન હોય. મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે. જ્યારે પણ હું અનંતને જોવું છું તો મને તેમાં મારા પિતા ધીરૂભાઈ દેખાય છે. અનંતનું વર્તન પણ મારા પિતાના જેવું જ છે. કંઈ પણ અસંભવ નથી.
ADVERTISEMENT
જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ત્રણ દિવસનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં થઈ રહ્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.