બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Assembly Election 2024 / અત્યારે અમારા CM એકનાથ શિંદે પરંતુ ચૂંટણી પછી' અમિતે શાહે કર્યું મોટું એલાન
Last Updated: 01:33 PM, 10 November 2024
ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્ર માટે ભાજપનો ઠરાવ પત્ર બહાર પાડ્યો. આ પછી અમિત શાહે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે અત્યારે અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે, પરંતુ ચૂંટણી પછી અમે બધા બેસીને આ અંગે ચર્ચા કરીશું. આ દરમિયાન તેમણે શરદ પવાર પર પણ નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
શરદ પવાર પર નિશાન સાધ્યું
આ દરમિયાન અમિત શાહે શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે આ વખતે અમે શરદ પવારને મુખ્યમંત્રી ચૂંટવાની તક નહીં આપીએ. તેમણે કહ્યું કે શરદ પવારને ખોટી વાર્તાઓ બનાવવાની આદત છે. પરંતુ આ વખતે તેની વાર્તાઓ કામ કરશે નહીં.
ADVERTISEMENT

ઠરાવ પત્ર જારી કર્યો
ADVERTISEMENT
ભાજપે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 25 લાખ નવી નોકરીઓનું વચન પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કૌશલ્ય કેન્દ્રો ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપે વૃદ્ધાવસ્થા પેન્શન વધારીને 2100 રૂપિયા પ્રતિ માસ કરવાનું વચન આપ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે ઠરાવ પત્ર આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી પર જોરદાર નિશાન સાધ્યું. અમિત શાહે કહ્યું, 'હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે શું તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે સારા શબ્દો કહેવા માટે કહી શકે છે.'
ADVERTISEMENT
વધુ વાંચોઃ મહિલાઓને દર મહિને 2100, 25 લાખ નવી નોકરીઓ, અમિત શાહે વચનોની કરી લ્હાણી
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે ચૂંટણી બાદ શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.