બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 11:23 AM, 4 October 2023
ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. અમેરિકાએ પણ ભારત-કેનેડા સંબંધોને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, 'અમે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપોથી ખૂબ જ ચિંતિત છીએ.' તમને જણાવી દઈએ કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર જોન કિર્બીએ પણ આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી.
ભારત પર કેનેડાના આરોપો ગંભીર છે, સંપૂર્ણ તપાસની જરૂર છે
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ખાલિસ્તાન તરફી નેતાની હત્યામાં ભારતની સંડોવણી અંગેના કેનેડાના આરોપો "ગંભીર" છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન કેનેડા દ્વારા કરવામાં આવેલા દાવા અંગે મળ્યા હતા. વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વ્યૂહાત્મક સંચાર સંયોજક જોન કિર્બીએ જણાવ્યું હતું. આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. "અમે સ્પષ્ટ છીએ, આ આરોપો ગંભીર છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ." કિર્બીએ કહ્યું, અમે ભારતને તપાસમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરીએ છીએ.
અમેરિકાએ ભારત પાસે સહયોગ માંગ્યો
યુનાઈટેડ સ્ટેટ્સે ભારત સરકારને વિનંતી કરી કે કેનેડાની તપાસમાં સહકાર આપે તેમજ વધુમાં વેદાંત પટેલે જણાવ્યું હતું કે, “અમે વડા પ્રધાન ટ્રુડો દ્વારા સંદર્ભિત આક્ષેપોથી ખૂબ જ ચિંતિત છીએ.
અમે અમારા કેનેડિયન સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ. મહત્વનું છે કે કેનેડાની તપાસ આગળ વધે. અમે સાર્વજનિક અને ખાનગી રીતે ભારત સરકારને આગ્રહ કરીએ છીએ કે તેઓ કેનેડિયન તપાસમાં સહકાર આપે.
નિજ્જરની હત્યા
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ છે. તમને જણાવી દઈએ કે નિજ્જરને ભારત દ્વારા આતંકવાદી જાહેર કર્યો હતો. 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના એક પાર્કિંગમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime