બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / AMC will launch the lake at Chharodi village

ભેટ / અમદાવાદને મળશે વધુ એક નજરાણું: છારોડી ગામ બાદ હવે આ ગામના તળાવનું કરાશે બ્યુટીફીકેશન, 4.80 કરોડમાં થશે કાયાપલટ

Dinesh

Last Updated: 07:54 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છારોડીમાં તળાવના વિકાસ પાછળ રૂ. 5.26 કરોડ ખર્ચાયા છે જે 167.60 મિલિયન લિટર જળનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ તેની ફરતે 716 મીટરની લંબાઈનો વોક-વે સહિત વૃક્ષોથી હરિયાળો બનાવાયો છે.

  • AMC દ્વારા છારોડી ગામે તળાવનું લોકાર્પણ કરાશે
  • થલતેજ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આ તળાવને મનોરમ્ય બનાવાશે
  • 67.60 મિલિયન લિટર જળનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે

અમદાવાદમાં આવતી કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છારોડી ગામ તળાવનું લોકાર્પણ કરાશે. આ તળાવના વિકાસ પાછળ રૂ. 5.26 કરોડ ખર્ચાયા છે, જે 167.60 મિલિયન લિટર જળનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ તળાવની ફરતે 716 મીટરની લંબાઈનો વોક-વે સહિત તેને વૃક્ષોથી હરિયાળો બનાવાયો છે. હવે તંત્ર દ્વારા થલતેજ ગામના તળાવના વિકાસ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા આ તળાવના ડેવલપમેન્ટ પાછળ રૂ.4.80 કરોડ ખર્ચાશે, જેનું આવતી કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ભૂમિપૂજન થવાનું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

આનંદ-પ્રમોદ કરવા માટેનું નવલું નજરાણું મળશે
થલતેજ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આ તળાવને મનોરમ્ય બનાવાશે. આશરે 19,617 ચોરસ મીટરના વોટર બોડી એરિયા સહિત કુલ ૩૨,૯૫૦ ચો. મીટરમાં તળાવનો વિકાસ કરવાનો હોઈ થલતેજ સહિતના આસપાસના વિસ્તારના લોકોને ભવિષ્યમાં આનંદ-પ્રમોદ કરવા માટેનું નવલું નજરાણું મળવાનું છે. મ્યુનિ. કોર્પો. દ્વારા આ તળાવ પરિસરમાં 480 મીટર લંબાઈ અને 3.5 મીટર પહોળાઈનો વોક-વે બનાવાશે, જે એલઈડી લાઇટિંગ સાથેનો હોઈ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. તળાવ માટે 355 મીટર લંબાઈમાં આરસીસી રિટેનિંગ વોલ બનાવાશે, તેમજ તેને દોઢ મીટર ઊંડાઈમાં ખોદીને તેમાં જળસંગ્રહ કરાશે. 

ગ્રીન સિટીના સંકલ્પને સાકાર કરાશે
તળાવ ફરતે ગ્રીનરી કરવા માટે તંત્રએ 5,800 ચો.મીટર જમીનને ગ્રીન સ્પેસ એરિયા ડેવલપમેન્ટ તરીકે જાહેર કરી છે. આટલા વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો વાવીને સત્તાવાળાઓ ગ્રીન સિટીના સંકલ્પને સાકાર કરવા જશે. ખાસ કરીને શનિ-રવિની રજાઓ કે વેકેશનમાં ભૂલકાંઓને લઈને માતાપિતા તળાવની મુલાકાતે આવતાં હોય છે. એટલા માટે બાળકોની મોજમસ્તી સારું સત્તાધીશો 380 ચો.મીટરમાં ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસિત કરશે, જ્યાં બાળકો માટે વિવિધ પ્રકારનાં રમતગમતનાં અતિ અધુનિક સાધનો મૂકવામાં આવશે.

હેન્ડિકેપ્ડ માટે ટોઇલેટ બ્લોકની પૂરતી વ્યવસ્થા કરાશે
સત્તા‍વાળાઓએ તળાવની મુલાકાતે આવનાર શહેરીજનો પોતાનાં ટુ-વ્હીલર કે ફોર વ્હીલરનું પાર્કિંગ કરી શકે તે માટે 1340 ચો.મીટર જગ્યા અલાયદી ફાળવી છે, જેના કારણે શહેરીજનો કોઈ પણ હેરાનગતિ વગર પોતાનાં વાહનને પાર્ક કરી શકશે તેવો તંત્રનો દાવો છે. આ ઉપરાંત તળાવની મુલાકાતે આવનારા સ્ત્રી-પુરુષ ઉપરાંત હેન્ડિકેપ્ડ માટે ટોઇલેટ બ્લોકની પૂરતી વ્યવસ્થા કરાશે. લોકોને માટે પીવાનાં પાણીની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી પણ મુકાશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ