બ્રેકિંગ ન્યુઝ
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
Khyati
Last Updated: 05:07 PM, 5 February 2022
અમદાવાદ શહેરના જુદા જુદા રસ્તાઓ પર સિગ્નલ પર ભીખ માગતા બાળકોને ભણાવવા શરુ થવા જઇ રહેલો પ્રોજેક્ટ શરુ થતા પહેલા જ વિવાદમાં સપડાયો છે. જેથી રસ્તે ભીખ માગતા બાળકો પણ શિક્ષિણ મેળવી શકે તે માટે AMC સિગ્નલ સ્કૂલ પાયલટ પ્રોજેકટ શરૂ કરવા જઇ રહી છે. પરંતુ AMCએ જૂના પ્રોજેક્ટને નવા રંગરૂપ સાથે ફરી એક વાર લોંચ કરતા વિવાદ થયો છે.
વિવાદનું કારણ શું ?
વાત જાણે એમ છે કે AMCએ વર્ષો પહેલા શાળાએ ન જતા બાળકો માટે એક પ્રોજેક્ટ શરુ કર્યો હતો. ચાલો શાળા આંગણે આવા નામથી AMCએ સાત બસો ખરીદી હતી. હવે આ બસને જ નવો રંગરુપ આપીને AMC સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ શરુ કરવા જઇ રહી છે. . આ 7 બસો ખરીદી હતી તે સમયથી જ ભંગાર તરીકે પડી રહી હતી. .તેનો કોઇ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.હવે AMCજૂના પ્રોજેક્ટની 7 બસોના સમારકામ પાછળ 2.27 કરોડ ખર્ચી તેને નવો રંગરૂપ આપીને સિગ્નલ સ્કૂલ શરૂ કરશે. એટલે એમ કહી શકાય કે માત્ર જૂની વાતને નવા રંગરૂપથી કોર્પોરેશન પ્રજાને બેવકૂફ બનાવી રહી છે એક જ પ્રોજેક્ટમાં બે વખત પૈસા નાંખીને પ્રજાના પૈસા પાણીમાં નાંખી રહી હોય તેમ લાગી રહ્યું છે.
શું છે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ ?
અમદાવાદમાં ભીખ માંગતા બાળકો એટલે કે સ્ટ્રીટ ચાઇલ્ડને પણ શિક્ષણ મળી રહે તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પાયલટ પ્રોજેકટ હાથ ધરાશે. ભીક્ષા નહી શિક્ષા અંતર્ગત સિગ્નલ સ્કૂલ પાયલટ પ્રોજકેટ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બાળકોને પ્રાથમિક શિક્ષા આપવામાં આવશે.
ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી તેમજ મહાનગર પાલિકા સ્કૂલ બોર્ડના સંયુક્ત કામગીરી હાથ ધરાશે. શહેરમાં ભીખ માંગતા ૬થી ૧૪ વર્ષની વય જૂથના બાળકોને “ ભીક્ષા નહી શિક્ષા” પ્રોજકેટ અતંર્ગત શિક્ષણ અપાશે . શાળાને અનુરૂપ ૮ મોટી બસની ડિઝાઇન તૈયાર કરી જે તે સ્થળે શિક્ષણ આપવાની જોગવાઇ કરાઇ છે. દરેક બસમાં ૨ શિક્ષક અને ૧ હેલ્પરની વ્યવસ્થા ઉભી કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ