બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Manisha Jogi
Last Updated: 11:06 AM, 9 October 2023
બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ બાબતે ચર્ચામાં છે. શુક્રવારે ફિલ્મ ‘મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટ રિલીઝ થયા પછી અક્ષય કુમાર ખૂબ જ ચર્ચામાં હતા. પહેલા ફિલ્મના ફેરફાર બાબતે અને ત્યારપછી ફિલ્મની ભાવુક કહાની બાબતે ચર્ચા થઈ રહી હતી. ફિલ્મને થિયેટરમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પહેલા દિવસે આ ફિલ્મની કમાણીની રફ્તાર ખૂબ જ ધીમી હતી, પરંતુ બીજા દિવસે અક્ષય કુમારની ફિલ્મે સારી કમાણી કરી છે.
ત્રણ દિવસમાં આટલી કમાણી કરી
ફિલ્મ ‘મિશન રાનીગંજ’એ ત્રીજા દિવસે 4.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પહેલા બે દિવસની સરખામણીએ ત્રીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં વધારો થયો છે. પહેલા દિવસે આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી. પહેલા દિવસે આ ફિલ્મ 2.80 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં 60.17 ટકાનો વધારો થતા 4.50 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 12.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Haath mein haath chalein toh #Jeetenge 🇮🇳
— Akshay Kumar (@akshaykumar) October 8, 2023
Video out tomorrow!
Book Tickets Now: https://t.co/6yFXIXtrvX
Watch the story of Bharat’s true hero with #MissionRaniganj IN CINEMAS NOW.#MissionRaniganjInCinemasNow pic.twitter.com/0pIpuWm1uv
સત્ય ઘટના પર આધારિત ફિલ્મ
દર્શકોને ફિલ્મમાં અક્ષય કુમારનું પાત્ર પસંદ આવી રહ્યું છે. પરિણીતી ચોપરાએ આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીનું પાત્ર ભજવ્યું છે. અક્ષય કુમાર હંમેશા રિઅલ લાઈફ હીરોનું પાત્ર ભજવવામાં સફળ રહ્યા છે. પૂજા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના રેસ્ક્યુ ઓપરેશન પર આધારિત છે. માઈનમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક માઈનર્સ ફસી જાય છે, અક્ષય કુમાર રેસ્ક્યુ ઓપરેશન કરીને માઈનર્સને બચાવી રહ્યા છે.
અક્ષય કુમારનું પાત્ર
ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં અક્ષય કુમાર જસવંત સિંહ ગિલનું પાત્ર ભજવી રહ્યા છે. જસવંત સિંહે વર્ષ 1989માં પૂરગ્રસ્ત ખાણમાં ફસાયેલ 64 મજૂરોનો જીવ બચાવ્યો હતો. આ સરાહનીય કાર્ય કરવા માટે જસવંત સિંહને અનેક એવોર્ડ આપવામાં આવ્યા હતા. જસવંત સિંહ અમૃતસરના રહેવાસી છે, જેમનું વર્ષ 2019માં 80 વર્ષે મૃત્યુ થઈ ગયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog