બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / VTV વિશેષ / akbars mother read ramayan her copy is in dohas museum now

VTV વિશેષ / અકબરની માતા રામાયણ વાંચતા, રોયલ પેલેસમાં પ્રભુ શ્રીરામનો દરબાર, મુઘલ કાળની અનૂઠી વાતો

Hiralal

Last Updated: 08:33 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પર વર્ષો સુધી રાજ કરનાર મુઘલોના સમયમાં પણ રામાયણ વંચાતી હતી અને તેનો એક દાખલો મળ્યો છે.

  • મુઘલ બાદશાહ અકબરની માતાને રામાયણ સાથે હતો ખૂબ લગાવ
  • પતિ હુમાયુના સમયમાં નિયમિત વાંચતા હતા રામાયણ
  • પર્શિયન ભાષાની રામાયણ હાલમાં કતારની રાજધાની દોહાના મ્યૂઝિયમમાં સચવાયેલી છે 

આગામી 26 ફેબ્રુઆરી 2024ના દિવસે અમદાવાદનો 614મો જન્મદિવસ થયો છે. મુસ્લિમ શાસકોએ વસાવેલા આ નગરની ઓળખ આજે દુનિયાભરમાં છે. મુઘલોના 6ઠ્ઠા મોટા બાદશાહ ઔરંગઝેબે અનેક હિંદુ મંદિરો તોડાવીને મસ્જિદો બાંધી હોવાના અનેક ઉલ્લેખ મળે છે તો સામે પક્ષે ઔરંગઝેબના પરદાદા અકબર હિંદુ ધર્મ અને પ્રભુ શ્રીરામ પ્રત્યે ભારોભાર આદર ધરાવતાં હતા. વર્ષો સુધીના રાજમાં ભારતને અનેક ઐતિહાસિક વિરાસતો ભેટમાં આપનાર મુઘલોને હિંદુ ધર્મ સાથે પણ લગાવ હતો તેનો એક મોટો દાખલો સામે આવ્યો છે. મુઘલ બાદશાહ અકબર પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હોવાનું પણ જણાઈ રહ્યું છે કારણ કે અકબરે પોતે બાંધેલા ફતેપુર સિકરીના રોયલ પેલેસમાં પ્રભુ શ્રીરામનો દરબાર કોતરાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ દીકરો અકબર જ્યારે રાજો હતો તે સમયે તેની માતા હમીદા બાનૂ બેગમ નિયમીત રીતે રામાયણનો પાઠ કરતી હતી જેની કોપી હાલમાં કતારની રાજધાની દોહાના મ્યૂઝિયમમાં સચવાયેલી છે. અકબરે સચિત્ર રામાયણનો પારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો અને માતાને વાંચવો આપવા આવ્યો હતો. 

હમીદા બાનુ બેગમના મહેલમાં પ્રભુ શ્રીરામનો દરબાર 
અકબરની માતા હમીદા બાનુ બેગમના મરિયમ મહેલમાં સ્તંભ પર ભગવાન રામનો દરબાર જોઈ શકાય છે. સમ્રાટ અકબર અને તેની માતા હમીદા બાનુ બેગમ શ્રી રામ અને રામકથા માટે સંપૂર્ણ આદર ધરાવતા હતા. અકબર અને હમીદા બાનોએ રામાયણનો સચિત્ર અનુવાદ કરાવ્યો, જે આજે પણ વિવિધ પુસ્તકાલયોમાં સુરક્ષિત છે. રામાયણ જેનો ફારસી ભાષામાં અનુવાદ થયો હતો તે આજે પણ દોહાના મ્યુઝિયમ ઑફ ઇસ્લામિક આર્ટમાં છે. આ સમ્રાટ અકબરના આદેશ પર કરવામાં આવ્યું હતું.મધ્યકાલીન ભારતમાં વિવિધ સંસ્કૃતિઓની બેઠકનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ કામ અકબરના આદેશ પર કરવામાં આવ્યું હતું અને તેની પોતાની એક સુંદર હસ્તાક્ષર પણ હતી. રામાયણ એટલુ ગમી ગયું કે દરબારના ઘણા રાજવીઓએ પણ પોતાની નકલો બનાવી. આ રામાયણમાં 56 મોટા ચિત્રો હતા. તે એક સુંદર ફૂલથી શરૂ થાય છે અને નાજુક સોનાના ચિત્રોથી શણગારવામાં આવે છે. વાલ્મીકિએ રામાયણની રચના કેવી રીતે કરી તેની આ એક રચના છે. હસ્તપ્રતની બહારની કિનારીઓ કાપવામાં આવી છે. 

દોહાના મ્યૂઝિમમાં સચવાયેલી છે 
હમીદા બાનુની આ મિલકત 1604માં સેન્ટ્રલ મુઘલ લાઇબ્રેરીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને પછી તે માલિકને આપવામાં આવી હતી. 

બીજા મુઘલ રાજા હુમાયું પત્ની હતા હમિદા બાનુ
હમિદા બાનુની રામાયણ દોહાના ઇસ્લામિક મ્યુઝિયમમાં આજ દિન સુધી પણ સચવાયેલી પડી છે. હમીદા બાનુ સમ્રાટ હુમાયુની બીજી પત્ની હતી. હમિદા બાનુના પિતાનું નામ શેખ અલી અકબર જામી અને માતાનું નામ ફિરોઝ બેગમ હતું. મીદા બાનુના પિતા મુઘલ રાજકુમાર હિંદલ મિર્ઝાના ઉપદેશક હતા.

અમદાવાદ પર રાજ કરનાર હૂમાયુ પહેલો રાજા 
1535માં મુઘલ બાદશાહ હૂમાયુએ થોડા સમય પુરતું ગુજરાત લીધું હતું અને પોતાના ભાઈ આસકરીને અમદાવાદનો સૂબો બનાવ્યો હતો. પરંતુ 1535માં બહાદુર શાહે પોર્ટૂગીઝ સાથે મળીને આસકરી પાસેથી અમદાવાદ આંચકી લીધું હતું પરંતુ 1537માં પોર્ટૂગીઝોએ તેને મારી નાખ્યો હતો. 

અમદાવાદમાં મુઘલોનો પગપેસારો ક્યારે? 
આટલી ઉથલાપથલ બાદ હવે અમદાવાદમાં મુઘલોનો પગપેસારો થયો હતો. 1572માં ઈતમાદખાંને હિંદુસ્તાનના બાદશાહ અકબરને અમદાવાદ આવવાનું નિમંત્રણ આપ્યું. ઈતમાદખાંનના આમંત્રણને માન આપીને બાદશાહ અકબરે 1573ની સાલમાં અમદાવાદમાં પગ મૂક્યો. અકબરના સમયમાં પણ અમદાવાદ ખૂબ ફૂલ્યુંફાલ્યું હતું. દસ-દસ ગાડાઓ એકીસાથે ચાલી શકે તેવા તો તેના રસ્તા પહોળા હતા. લગભગ 44 વર્ષ સુધી અકબરનું શાસન રહ્યું હતું. 

ક્યારે નખાયો અમદાવાદનો પાયો, શું શું છે કિવદંતીઓ 
'જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને કે અમદાવાદ બનાયા', કહેવત છે? આ કહેવત કેટલી સાચી તે તો રામ જાણે પરંતુ તેની પાછળ ઊંડો ભાવાર્થ છુપાયેલો છે. સસલાં જેવો બીકણ જીવ જ્યારે ઘાતકી ગણાતા કૂતરાની સવારી કરીને આવે તે ધરતી કેટલી ખમતીધર હશે, તેના પાણીમાં કેટલી તાકાત હશે. 26 ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદ 613 વર્ષનું થવા જઈ રહ્યું છે. આજથી 6 સૈકા પહેલા એટલે કે 1411ની સાલમાં બાદશાહ અહમદ શાહે અમદાવાદની પહેલી ઈંટ મૂકી હતી બસ ત્યારથી માંડીને અત્યાર સુધીના 613 વર્ષમાં અમદાવાદ અનેક ચઢતી-પડતીનું સાક્ષી બન્યું છે. વિદેશી આક્રાંતાઓની લૂંટ, કોમી હુલ્લડો, દુષ્કાળ, ભયંકર યુદ્ધ, કાપાકાપી, કુદરતી હોનારતો વગરે સહિત અનેક પ્રકારની અવદશા અમદાવાદે જોઈ છે. અમદાવાદે ઘાટ ઘાટનું પાણી પીધું છે. નોંખા નોંખા કૂવાનું પાણી પીઈને અમદાવાદ તાકાતવર બન્યું છે. અમદાવાદના 613માં બર્થડેના દિવસે આજે વાત કરવી છે આપણા પોતાના અમદાવાદની, પહેલી ઈંટ મૂકાઈ ત્યારથી માંડીને હાલના દિન સુધી તેના ઈતિહાસની માંડણી કરવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ