બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 07:08 PM, 18 February 2024
એક તરફ રાજ્યમાં જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળવાના દાવાઓ કરાઇ રહ્યા છે. તેવામાં અમદાવાદના RTO પાસે જેલ રોડ બ્રિજ નીચે 200 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સુભાષબ્રિજ નીચે રામજીભાઇની ચાલીના 200 જેટલા મકાનો પર 15 ફેબ્રુઆરીએ બુલડોઝર ફેરવી દેવાયું હતું.
2 દિવસ ચાલી ડિમોલેશનની કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, 2 દિવસ ચાલેલી ડિમોલેશનની કામગીરી બાદ 200થી વધુ પરિવારો રસ્તા પર રહેવા મજબુર બન્યા છે. ડિમોલેશન પહેલા કોઇ પણ પ્રકારની નોટિસ ન આપ્યાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો. આ ઉપરાંત બાળકોની બોર્ડની પરીક્ષા દરમિયાન આ પ્રકારની કાર્યવાહીથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થઇ રહી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે.
વિવાદિત જમીન અંગે ચાલી રહ્યો છે કોર્ટમાં કેસ
મહત્વનું છે કે, જે જગ્યા પર મકાનો તોડવમાં આવ્યા તે રામજીભાઈની ચાલીની જમીન રમણિક પટેલ નામના વ્યક્તિની હોવાની ચર્ચા છે. જે જમીન અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે કેસમાં 19 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી પણ યોજાઇ. જોકે જમીન અંગે નિર્ણય આવે તે પહેલા જ મકાન તોડી પડાતાં સંખ્યાબંધ બાળકો સહિત પરિવાર રઝડી પડ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime