બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Khyati
Last Updated: 05:43 PM, 25 March 2022
કોઇ પણ હત્યાનો બનાવ બને ત્યારે પોલીસ મરનારનું પોસ્ટમોર્ટમ કરાવીને લાશને અંતિમ સંસ્કાર કે દફન વિધિ માટે પરિવારને સોંપી દેતી હોય છે પરંતુ નવા નરોડામાં એક મહિના પહેલાં થયેલી કૈલાસબહેનના હત્યા કેસમાં પોલીસે હજુ સુધી તેમની લાશને સાચવીને રાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૈલાસબહેનની લાશ સાચવવા પાછળનું કારણ બીજું કાંઇ નહીં પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે. જેમાં તે પોતે ગોથે ચઢી છે. પોલીસના જણાવ્યા અનુસાર કૈલાસબહેનની હત્યા કયા સમયે થઇ તેનો એફએસએલ રિપોર્ટ આવી ગયા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
29 ફેબ્રુઆરીએ મળી હતી લાશ
તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ નવા નરોડા વિસ્તારમાં આવેલ દેવનંદન સંકલ્પ સિટીના ફ્લેટમાં કૈલાસબહેનની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં નરોડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એમ.ઠાકોરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. નવા નરોડા વિસ્તારમાં દેવનંદન સંકલ્પ સિટી નામની ફ્લેટની સ્કીમ આવેલી છે જેમાં ફ્લેટના ઇ બ્લોકના ૪૦૪ નંબરનો ફ્લેટ બે વર્ષ પહેલાં મહેશભાઇ જોષીએ ખરીદ્યો હતો અને કૈલાસબહેન ઉર્ફે પૂજા ચૌહાણ નામની મહિલાને ભાડે આપ્યો હતો. કૈલાસબહેને બે મહિના ભાડું આપ્યું હતું. તેમના ઘરે એક મહિનાથી તાળું હતું અને તેમનો ફોન પણ વીસેક દિવસથી બંધ હતો.
પતિ પત્ની બનીને ફ્લેટ ભાડે લીધો
કૈલાસબહેન પહેલાં દેવનંદન સંકલ્પ સિટીના બીજા બ્લોકમાં ભાડેથી એકલાં રહેતાં હતાં. જોકે થોડાક સમય પહેલાં શૈલેશ પરમાર નામના યુવક સાથે તેમને પ્રેમ સંબંધ થઇ ગયો હતો. જેથી તેઓ બંને જણાં પતિ પત્ની બનીને દેવનંદન સંકલ્પ સિટી ફ્લેટની સ્કીમના ઇન્ચાર્જ આશિષભાઇને મળ્યાં હતાં અને મોટો ફ્લેટ ભાડેથી લેવાની વાત કરી હતી. આશિષભાઈએ ઇ બ્લોકમાં ૪૦૪ નંબરનો ફ્લેટ ભાડે અપાવી દીધો હતો. જેનું ભાડું પાંચ હજાર રૂપિયા હતું.
કોલ ડીટેઈલના આધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ
શૈલેશ પરમારે જાન્યુઆરી મહિનામાં નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં કૈલાસબહેન પણ રહસ્મય રીતે ગુમ હતાં. જ્યાં તેમની લાશ ૨૭ ફેબ્રુઆરીના રોજ તેમના ઘરમાંથી મળી આવી હતી. કૈલાસબહેનની હત્યા કોણે કરી તેનો પર્દાફાશ હજુ સુધી થયો નથી ત્યારે પોલીસે કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી છે. કૈલાસબહેનની હત્યા તેના પ્રેમી શૈલેશ પરમારે નહીં પરંતુ કોઇ અજાણી વ્યકિતએ કરી હોવાનું પોલીસ માની રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે કૈલાસબહેનની હત્યા લાશ મળ્યાના પાંચ દિવસ પહેલાં થઇ હતી જ્યારે શૈલેશે જાન્યુઆરી મહિનામાં આપઘાત કર્યો હતો.
પરિવાર કૈલાસબહેનની લાશ સ્વીકારવા તૈયાર નહિ
કૈલાસબહેનનો ભૂતકાળ વિવાદિત રહ્યો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. કૈલાસબહેનના ઘરની તપાસ કરી તો તેમાંથી એક મેરેજ સર્ટિફિકેટ મળ્યું હતું આ સિવાય પોલીસને વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કૈલાસબહેનનાં પહેલાં લગ્ન થયાં હતાં. જ્યાં તેમને પતિ સાથે મનમેળ નહીં થતાં છુટાછેડા લઇ લીધા હતાં. બાદમાં તેમણે બીજાં લગ્ન કર્યાં હતાં. જોકે ત્યાંથી પણ છુટાછેડા થઇ ગયા હતાં. કૈલાસબહેનને શૈલેશ પરમાર નામના પરિણીત યુવક સાથે પ્રેમ થઇ જતાં તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. કૈલાસબહેનનું ચારિત્ર્ય ખરડાતાં તેમના પરિવાજનોએ તેમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. ૨૭ ફેબ્રુઆરીએ કૈલાસબહેનની લાશ મળી હોવાના સમાચાર પણ તેમના પરિવારજનોને મળતાં તેમણે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કૈલાસબહેનના અંતિમ સંસ્કાર પણ પોલીસે કરવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog