સોસિયલ મીડિયાના જમાનામાં ફેકન્યૂઝનો ત્રાસ વધી રહ્યો છે એવામાં કોરોનાની મહામારી અંગે ભ્રમણાઓ ફેલાઈ રહી છે તાજેતરમાં જ ઘનશ્યામનગર સોસાયટીમાં 100થી વધુ કોરોનાના કેસ હોવાનો ફેક મેસેજ ફરતો થયો હતો જ્યારે VTV દ્વારા તપાસ કરવામાં આવી તો સચ્ચાઈ કંઈક જ ઔર હોવાનું સામે આવ્યું છે.
કોરોનાને લઇ ફેક મેસેજ થયા વાયરલ
ઘનશ્યામનગરમાં 100 કેસના મેસેજ વાયરલ
100થી વધુ કેસ હોવાના મેસેજ ખોટા: ચેરમેન
કોરોના કાળમાં સોશિયલ મીડિયામાં ફેક મેસેજ વધી રહ્યાં છે. એવામાં અમદાવાદમાં કોરોનાને લઇ ફેક મેસેજ વાયરલ થયા હતા. અમદાવાદના સુભાસબ્રિજ પાસે આવેલી ઘનશ્યામનગર સોસાયટી કોરોનાનો રાફડો ફાટ્યો હોવાના મેસેજ વાયરલ થયા હતા. ઘનશ્યામનગર સોયાયટીમાં 100 કોરોના કેસના હોવાનો મેસેજ વાયરલ થતાં VTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી જેમાં આ મેસેજ ખોટો હોવાનું સોસાયટીના ચેરમેને જણાવ્યું હતુ.
100થી વધુ કેસ હોવાના મેસેજને ભરત દોશીએ ખોટો ગણાવ્યો
ઘનશ્યામનગર સોસાયટીના ચેરમેન ભરત દોશીએ VTV સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ઘનશ્યામનગર સોસાયટીમાં 32 કેસ નોંધાયા છે. 100થી વધુ કેસ હોવાના મેસેજને ભરત દોશીએ ખોટો ગણાવ્યો હતો.