બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / after-shashi-tharoor-tweet-about-sumitra-mahajan-death-kailash-vijayvargiya-clarified
લોકસભાના પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનનું નિધન થયું છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વીટ કરીને સુમિત્રા મહાજનના મોતની જાણકારી આપી છે. શશી થરૂરે ટ્વીટ કર્યું છે કે પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના અવસાનથી તેઓ દુ:ખી છે. મને તેમની સાથે ઘણી સકારાત્મક ક્રિયાપ્રતિક્રિયાઓ યાદ છે, જેમાં તેમણે અને સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજે મને મોસ્કોમાં બ્રિક્સમાં સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાનું કહ્યું. તેના પરિવાર પ્રત્યેની મારી સંવેદના.
ADVERTISEMENT
જો કે આના પછી મધ્ય પ્રદેશના દિગ્ગજ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ આ બાબતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તાઈ એકસમ સ્વસ્થ છે અને ભગવાન તેમને લાંબી આવરદા આપે.
ADVERTISEMENT
ताई एक दम स्वस्थ है । भगवान उन्हें लम्बी उमर दे । https://t.co/bQQMp9BqUv
— Kailash Vijayvargiya (@KailashOnline) April 22, 2021
ADVERTISEMENT
મહત્વનું છે કે આ ટ્વિટ પછી કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેમનું ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું, નોંધનીય છે કે ભાજપના નેત્રી અને પૂર્વ લોકસભા સ્પીકર એવા સુમિત્રા મહાજન મોદી સરકારના પહેલા કાર્યકાળમાં લોકસભાના સ્પીકરની ભૂમિકા ભજવી હતી. એક જાણકારી પ્રમાણે તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.