બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Kishor
Last Updated: 04:05 PM, 23 October 2023
માતાજીની આરાધનાના ઉત્તમ પર્વ નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ વિજયાદશમી ઉત્સાહભેર ઉજવાશે. જેને લઈને અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ રાવણના પૂતળું બનાવવામાં આવી રહ્યું છે. જેમાં આગ લગાવી ઉત્સવ મનાવવામાં આવશે. ત્યારે અમદાવાદના ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં રાવણદહનની પૂરજોર તૈયારીઓ ચાલી રહી છે . 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. સાથે મેઘનાથ અને કુંભકર્ણમાં પૂતળાનું દહન કરવામાં આવશે. રામયાત્રા બાદ રાવણદહન કાર્યક્રમ કરવામાં આવશે.
આવતીકાલે રામ યાત્રા યોજીને રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખ લોકો જોડાય તેવી શક્યતા છે. કાર્યક્રમમાં સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. મહત્વનું છે કે હરેકૃષ્ણ મંદિર દ્વારા છેલ્લા 9 વર્ષથી રાવણદહનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફાયર,પોલીસ સહિતની સેફ્ટી સાથે આ કાર્યક્રમ ઉજવવામાં આવશે.
રાજકોટમાં ગુજરાતના સૌથી મોટા રાવણના પુતળાનું દહન થશે
વધુમાં રાજકોટમાં ગુજરાતના સૌથી મોટા રાવણના પુતળાનું દહન થાય છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 60 ફૂટ મોટો રાવણ તૈયાર કરવામાં આવ્યો છે. રાવણની સાથે સાથે કુંભકર્ણ અને મેઘનાથ 30-30 ફૂટના પૂતળા તૈયાર કરાય છે. કુલ 25 કારીગરો દ્વારા રાવણની આ વિશાળ પૂતળા બનાવ્યા છે. રાવણનઆ પુતળાની અંદર ખાસ આતાશબાજી થાય તેવા ફટાકડાઓ ગોઠવવામાં આવ્યા છે. રેસકોષ મેદાનમાં આ કાર્યક્રમ યોજવાશે.
ભાવનગરમાં રાવણદહનની પૂરજોર તૈયારીઓ
વધુમાં ભાવનગરમાં આવતીકાલે વિજયા દશમીના પર્વને લઈને રાવણ દહન માટે તૈયારીઓ પુરજોશમાંમાં ચાલી રહી છે. શહેર બે સ્થળો એ અલગ અલગ રાવણ દહનના કાર્યક્રમ યોજાનાર છે. ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં જીતુ વાઘાણી પ્રેરિત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જ્યારે ભાવનગરના જવાહર મેદાનમાં ખાતે સિંધી સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. મહત્વનુ છે કે ભાવનગરમાં આગ્રાથી ૧ મહિના થી આવેલા કારીગરો આ બનને વિસ્તારો માટે રાવણ દહનની તૈયારી કરતા હોય છે.
જામનગરમાં લગભગ 7 દાયકા જૂની પરંપરા
બીજી તરફ જામનગરમાં થતો રાવણ દહનનો કાર્યક્રમ પણ જિલ્લાભરમાં પ્રખ્યાત છે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા દશેરા નિમિતે રાવણ દહન કરવામાં આવે છે. જે લગભગ 7 દાયકા જૂની પરંપરા છે. જ્યા અસત્ય ઉપર સત્યની જીતની ઝાંખી દર્શાવતી રામ અને રાવણ વચ્ચે થયેલી યુદ્ધની વાર્તા આધારિત પરંપરાગત ઉજવણી કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog