બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બલ્લે બલ્લે! અફઘાનિસ્તાને ભારત માટે કરી દીધું આ મોટું એલાન, ઈર્ષાથી સળગ્યું પાકિસ્તાન!
Last Updated: 08:01 PM, 24 November 2025
અફઘાનિસ્તાન ભારત સાથે આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આક્રમક અને ઉદાર રોકાણ પોલિસી લઈને સામે આવ્યું છે. અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ ભારતની છ દિવસીય મુલાકાત દરમિયાન ભારતીય કંપનીઓને એક વિશાળ અને લાંબા ગાળાના અવસર વિશે જાણકારી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન નવા ઈન્વેસ્ટમેન્ટ સેક્ટર ખાસ કરીને ગોલ્ડ માઇનિંગમાં રોકાણ કરતી ભારતીય કંપનીઓને 5 વર્ષ સુધી પૂર્ણ કર રાહત આપશે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Afghan Minister of Commerce and Industry, Alhaj Nooruddin Azizi, says, "... We want to expand our bilateral economic relationship between our two nations, a trade and business of approximately one billion dollars. Because the potential and resources exist in both… pic.twitter.com/rAqImrLyBz
— ANI (@ANI) November 24, 2025
દિલ્હીમાં આયોજીત અસોસિયમના ઈન્ટરએક્ટિવ બિઝનેસ સેશન દરમિયાન અઝીઝીએ રોકાણકારો સામે અફઘાનિસ્તાનમાં ઉપલબ્ધ કુદરતી સંપત્તિ અને તેમાં છુપાયેલા વ્યાપારિક સંભાવનાઓ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં એવો વિશાળ બજાર છે જ્યાં સ્પર્ધા ઓછી છે અને સેક્ટર મોટા ભાગે અનટેપ્ડ છે. સાથે જ રોકાણકારોને જમીન આપવા માટે પણ અફઘાનિસ્તાન સરકાર તૈયાર છે. જેથી કંપનીઓ પોતાનો ઓપરેશનલ બેઝ સરળતાથી ઊભો કરી શકે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Afghan Minister of Commerce and Industry, Alhaj Nooruddin Azizi, says, "It's an immense pleasure and I feel proud that the two great nations, India and Afghanistan, are now working together. As you may know, we have a historical relationship with India. It's not… pic.twitter.com/Jode1w2m9E
— ANI (@ANI) November 24, 2025
તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે જો ભારતીય કંપનીઓ મશીનરી અને સાધનો અફઘાનિસ્તાનમાં ઈમ્પોર્ટ કરશે તો તેના પર માત્ર 1 ટકા ટૅરિફ શુલ્ક વસૂલ થશે. જે વેપાર પ્રવાહને પ્રોત્સાહિત કરશે અને મૂડી ખર્ચ ઘટાડશે. ગોલ્ડ માઇનિંગ સંદર્ભે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શરૂઆતમાં ભારતીય કંપનીઓ તેમની રીસર્ચ અને ટેકનિકલ એક્સપ્લોરેશન ટીમ મોકલી શકે છે, અને ત્યારબાદ ગોલ્ડ પ્રોસેસિંગ અફઘાનિસ્તાનની અંદર જ થવું જોઈએ જેથી સ્થાનિક રોજગારી સર્જાય.
ADVERTISEMENT
અઝીઝીએ વ્યાપક સંભાવનાઓ વચ્ચે નિષ્ઠુર હકીકતો પણ સ્વીકારી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવને કારણે સીમા પાર વેપારમાં અવરોધો સર્જાય છે. છતાં પણ ભારત-અફઘાનિસ્તાન ટ્રેડ રિલેશન આગળ વધારવા તેઓ પ્રતિબદ્ધ છે. તેમણે ભારત તરફથી વીસા પ્રક્રિયા, એર કાર્ગો કોરિડોર અને બેંકિંગ સિસ્ટમમાં રહેલ “માઈનર હર્ડલ્સ” દૂર કરવાની વિનંતી કરી જેથી દ્વિપક્ષીય વેપારને એક નવું પ્રોત્સાહન મળે.
ભારતીય વેપાર મંડળો અને બિઝનેસ નિષ્ણાતો માને છે કે અફઘાનિસ્તાનનું આ આમંત્રણ ભારત માટે સ્ટ્રેટેજિક બેનેફિટ ધરાવે છે. અફઘાનિસ્તાન ગોલ્ડ અને અન્ય ખનિજ સંપત્તિમાં સંપન્ન છે. આવી સ્થિતિમાં મનીમેકિંગ ઓપોર્ટ્યુનિટી સાથે જ તે ભારત માટે રાજકીય અને કૌટુંબિક પ્રભાવ પણ વધારશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM મોદીની મીટિંગ પહેલા કેનેડાએ કર્યું કંઇક એવું, કે હજારો ભારતીય ખુશખુશાલ
અફઘાનિસ્તાનના મંત્રીની આ 6 દિવસીય ભારત મુલાકાત દરમિયાન અનેક બિઝનેસ મીટિંગ્સ, ગવર્નમેન્ટ લેવલ ચર્ચા અને ભવિષ્યના સહકાર માટેના તંત્રોને મજબૂત બનાવવા માટે સંવાદ યોજાશે. આ મુલાકાત બાદ અપેક્ષાઓ છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખનિજ, ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસોડા ગેસ, ફાર્મા અને મશીનરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવો રોકાણ પ્રવાહ શરૂ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.