Adhir Ranjan Chowdhary: અધીર રંજનનો આરોપ છે કે તેમને બંધારણની જે નવી કોપી આપવામાં આવી છે તેમાં સોશલિસ્ટ અને સેક્યુલર શબ્દ હટાવી દેવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે.
બંધારણને લઈને અધીર રંજનના મોટા આરોપ
મોદી સરકાર પર છેડછાડના લગાવ્યા આરોપ
બંધારણમાં સેક્યુલર શબ્દનો ઉલ્લેખ નથી
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર મોટા આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમને જે બંધારણની કોપી આપવામાં આવી તેમાં સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દ નથી. અધીર રંજને કહ્યું, અમે જાણીએ છીએ કે બન્ને શબ્દ 1976માં સંશોધન બાદ શામેલ કરવામાં આવ્યા છે.
પરંતુ આજની તારીખમાં આ બન્ને શબ્દ બંધારણમાં નહીં રહે તો આ મોટી ચિંતાનો વિષય છે. આ મેં આજે રાહુલ ગાંધીને પણ બતાવ્યું. તેમણે કહ્યું, હું આ મુદ્દો ન ઉઠાવી શક્યો કારણ કે મોકો નથી મળ્યો.
#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "The new copies of the Constitution that were given to us today (19th September), the one we held in our hands and entered (the new Parliament building), its Preamble doesn't have the words 'socialist… pic.twitter.com/NhvBLp7Ufi
આ મારા માટે ચિંતાનો વિષય
અધીર રંજને કહ્યું, તેમનો હેતુ શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. હું આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ મને આ મુદ્દાને ઉઠાવવો મોકો ન મળ્યો. અધીરે કહ્યું, "જો આ લોકોની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવશે તો આ લોકો કહેશે કે અમને પહેલા વાળી કોપી આપી છે."
1976માં કર્યા હતા શામેલ
તેમણે આગળ કહ્યું કે બંધારણના પ્રિયંબલમાં સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દ નથી. તેને હટાવી લેવામાં આવ્યો છે. આ બન્ને શબ્દ 1976માં શામેલ થયા હતા. પરંતુ આજની તારીખમાં જો અમને કોઈ સંવિધાન આપે અને તેમાં સેક્યુલર અને સોશલિસ્ટ શબ્દોનો ઉલ્લેખ ન હોય તો આ ચિંતાની વાત છે.
આ કામ ખૂબ જ ચાલાકીથી કરવામાં આવ્યું છે. તેમના ઈરાદામાં ખોટ છે. અમે ડરેલા છીએ, ચિંતા કરી રહ્યા છીએ કે જે બંધારણની કોપી આપવામાં આવી છે. તેમાં શબ્દ કેમ હટાવવામાં આવ્યા છે. અમે વારંવાર આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને બોલવા દેવામાં ન આવ્યો.