જાણકારી અનુસાર ગૌતમ અદાણીના નૈતૃત્વવાળા અદાણી ગ્રુપ અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એકબીજાના કર્મચારીઓને કામ પર નહીં રાખવાનું નક્કી કર્યું છે.
અદાણી અને અંબાણી વચ્ચે થઈ ડીલ
તમામ કર્મચારીઓ પર પડશે અસર
એકબીજાના કર્મચારીઓને કામ પર નહીં રાખવાનું નક્કી કર્યું
No-Poaching Deal: દેશનાં દિગ્ગજ બીઝનેસ મેન અને પ્રતિદ્વંદી ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીના વચ્ચે એક મોટી ડીલ થઇ છે. ગૌતમ અદાણીના નૈતૃત્વવાળા અદાણી ગ્રુપ અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એકબીજાના કર્મચારીઓને કામ પર નહીં રાખવાનું નક્કી કર્યું છે.
શા માટે થઇ આ ડીલ ?
સુત્રો અનુસાર બંને કંપનીઓ વચ્ચે નો-પોચિંગ પેક્ટ, આ વર્ષના મે મહીનાથી લાગુ થયો છે અને આ તેમની તમામ ગ્રુપ કંપનીઓ પર લાગુ થશે. જો કે અદાણી ગ્રુપ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બંનેમાંથી કોઇએ ટિપ્પણી કરી નથી.
શું છે આ સિસ્ટમ?
એક ગ્લોબલ એક્ઝિક્યૂટીવ સર્ચના એક સિનીયર પ્રોફેશનલ કે જે બંને સમૂહો સાથે કામ કરી રહ્યાં છે તેઓએ જણાવ્યું કે આ કરાર હંમેશાથી હાજર જ રહ્યો છે. આ નિયમ લાગુ થયા બાદ હવે બંને સમૂહ એકબીજાના ટેલેન્ટને હાયર નહીં કરી શકે. જો કે આ બંને સમૂહની તમામ ક્ષેત્રોમાં હાજરી પણ છે અને કેટલાક ઉદ્ઘોગોમાં સ્પર્ઘકો પણ છે.
આ ક્ષેત્રોમાં છે એકબીજાના સ્પર્ઘક
અદાણી સમૂહ વીજળી, બંદરો, એરપોર્ટ, નવીનીકરણીય ઊર્જા અને સૌર ઊર્જા જેવા ક્ષેત્રો સાથે જોડાયેલ કંપની છે અને હાલમાં પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પણ કામ શરૂ કરેલ છે. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહેલેથી જ ટૉપ પ્લેયર છે. ટેલીકોમમાં પણ બંને કંપનીઓ એકબીજાની ખૂબ નજીક આવી ગઇ છે. હાલમાં સંપન્ન થયેલ 5મી નીલામીમાં રિલાયન્સ જીયો દુનિયાનો ત્રીજો સૌથી મોટો મોબાઇલ નેટવર્ક ઑપરેટર જાહેર થયો છે.
અદાણી ગ્રુપ ઘણાં ક્ષેત્રોમાં વધી રહી છે આગળ
છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપે જબરદસ્ત છલાંગ મારી છે. અદાણી ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ પોતાના રીટેલ કારોબારને વધારવા મોટાપાયે રોકાણ કરવાનું જાહેર કર્યું છે. એક રીપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપની ખાદ્ય કંપની, અદાણી વિલ્મર લિમીટેડે પોતાના ફૂડ ઑપરેશનને વેગ આપવા એક્વિઝિશન લક્ષ્યાંકો માટે તેના IPOમાંથી રૂ. 5 બિલિયનની ફાળવણી કરી છે. તો બીજી તરફ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ કન્ઝ્યુમર ગુડ્સ બિઝનેસ શરૂ કરવાની ગોષણા કરી છે.