કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે. તેને રોકવામાં આંબળા ખુબ લાભદાયક સાબિત થઇ શકે છે. દિવસમાં એક વાર આમળુ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
આમળા ખાવાથી વધશે ઇમ્યૂનિટી
કોરોનાનું સંક્રમણ થવાના ચાન્સ થઇ જશે ઓછા
રોજ આમળાનું જ્યુસ પીવાથી થશે ફાયદો
ડૉ. સુમને જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં વધારે સતર્કતા અને વ્યવસ્થિત ખાનપાન જ તમને બચાવી શકે છે. હવે લોકો ખાસ કોરોનાના નિયમનું પાલન નથી કરતા અને માસ્ક વગર પણ જોવા મળે છે. મોટા ભાગના લોકો હવે માસ્ક નથી પહેરતો જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની બિક રહે છે.
કોરોનાને હરાવવા ઇમ્યુનીટી સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે. આ સિઝનમાં આંબળાનું સેવન કરીને પાચનશક્તિને મજબૂત બનાવી શકાય છે.
આ બિમારીઓમાં આમળા કબજીયાત, ટીબી, છાતીનો દુઃખાવો, અરુચી વગેરે જેવા રોગોને નષ્ટ કરી દે છે અને તમારા શરીરમાં એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ ભરી દે છે.
આમળામાં વિટામિન-સી અધિકમાત્રામાં હોય છે. તેમાં રહેલું કેલ્શિયમ, આયરનસ ફોસ્ફરસ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે જેના કારણે એનીમીયા થવાના ચાન્સીસ ઓછા થઇ જાય છે અને યાદશક્તિ વધે છે. માટે નિયમિત રૂપે આમળાનું સેવન કરવું જોઇએ.