બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A meeting of Kshatriya Samaj will be held today on the issue of protest against Parshotam Rupala's statement
Vishal Khamar
Last Updated: 02:16 PM, 31 March 2024
પરશોતમ રૂપાલાનાં નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં આજે સાંજે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાનાર છે. જેમાં જીલ્લાભરનાં ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે. આ સંમેલનમાં આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ગુજરાતનાં ક્ષત્રિય સમાજની એક માંગ પરશોતમ રુપાલાની ટિકીટ કેન્સલ થાય
આ બાબતે ક્ષત્રિય આગેવાને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતનાં લોકસભાના ઉમેદવાર અને હાલનાં સાંસદ સભ્ય પરશોતમભાઈએ ચૂંટણી પ્રચાર દરમ્યાન ક્ષત્રિય સમાજની અસ્મિતાને તેમજ ચારીત્રયને દાગ લાગે તેવું નિવેદન આપ્યું હતું. જેના કારણે ગુજરાતભરનાં ક્ષત્રિયોમાં એક આક્રોશ છે. આ આક્રોશ સતત સોશિયલ મીડિયામાં આપ જોઈ રહ્યા છો. સમગ્ર ગુજરાતમાં સ્વયંભું છે. આ વિરોધ કોઈ પણ રાજકીય પક્ષનો વિરોધ કરવા માટેનો નથી. માત્ર સમાજની અસ્મિતિ માટેનો આ એક પ્રશ્ન છે. ગુજરાતનાં ક્ષત્રિય સમાજની એક માંગ છે કે, પરશોતમ રૂપાલાની ટિકીટ કેન્સલ થાય. ત્યારે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના સાથે મળીને સંમેલનું આયોજન કરેલ છે.
પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજનાં આગેવાનોની ધરપકડ કરતા રોષ
રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તેઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે પરશોતમ રૂપાલાનાં પૂતળાનું દહન કર્યું હતું. જે મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા કમલ 151 મુજબ ક્ષત્રિય સમાજનાં આગેવાનોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
ક્ષત્રિય સમાજે પોલીસની કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી
પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજનાં આગેવાન મહેન્દ્રસિંહ પરમાર,નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજનાં આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમજ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.
વધુ વાંચોઃ અમદાવાદમાં IT વિભાગના દરોડા યથાવત, વ્યાજખોરોના રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યા
શનિવારે રાજકોટ ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા પૂતળા દહન કરાયું હતું
કરણી સેનાના સોશ્યલ મીડિયા અધ્યક્ષ હિતુભા જાડેજાએ કહ્યું કે પરસોતમ રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં પૂતળા દહનના કાર્યક્રમો યોજાશે. પોસ્ટરો લગાવવામાં આવશે અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે. પરસોતમ રૂપાલાની દરેક સભામાં વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરસોતમ રૂપાલાની સુરક્ષા વધારવી હોઈ એટલી વધારી લે. ક્ષત્રિય સમાજ પર પોલીસ દમણ કરે તો પણ અમારી તૈયારી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરષોતમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.. જે અંતર્ગત રોષે ભરાયેલા ક્ષત્રિય યુવાઓેએ પરષોતમ રૂપાલાના પુતળાનું દહન કર્યુ હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog