બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A friendly program of Garbada Assembly was held
Kishor
Last Updated: 05:11 PM, 23 November 2023
આજે દાહોદમાં ગરબાડા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ, BTP સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ-BTBમાં મોટુ ગાબડુ પડ્યું છે. ત્યારે દાહોદમાં યોજાયેલા આ સ્નેહમિલનના કાર્યક્રમની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. કારણ કે આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન લગભગ 500થી પણ વધારે કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તાકાતમાં વધારો થયો છે.
આજે દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. કાર્યકર્તાઓનાં અપ્રતિમ સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. નવા વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું.
— C R Paatil (@CRPaatil) November 23, 2023
આ સમારોહમાં… pic.twitter.com/WNTcs7Rcrz
500થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
ભારતીય પરંપરા મુજબ નવા વર્ષની શરૂઆત સ્નેહમિલનથી થતી હોય છે. ત્યારે ભાજપ દ્વારા દાહોદ જિલ્લાની વિધાનસભા 23, 24 અને 25 માટે પણ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે દાહોદ ગરબાડા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન આપ, કોંગ્રેસ, BTP સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ કોંગ્રેસમાંથી અને બીટીપીમાંથી પણ ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન લગભગ 500થી પણ વધારે કાર્યકર્તાઓએ જે-તે પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
500થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ
આ સ્હેનમિલન કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે આ ભાજપની તાકાત છે. જેથી ભાજપ પ્રત્યે લોકોનો વિશ્વાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.. આ બધુ આપણા વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસના કાર્યો અને દેશની પ્રગતિના કારણે આ બધુ સંભવ થઈ રહ્યું છે. સાથે જ કહ્યું કે આપણા આદિવાસી બંધુઓ મહેનત કરવામાં આવે છે.. જેથી તેઓ કોઈ લાલચ કે લોભમાં આવતા નથી. મોદીજી જે પણ કહે છે તે કરીને દેખાડે છે. જેથી લોકોને વિશ્વાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime