બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A flag will be installed in the Dwarka temple

મહત્વનો નિર્ણય / યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર પર ફરી અડધી કાઠીએ ધજાજીના દર્શન, જાણો શું છે કારણ

Dinesh

Last Updated: 07:37 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ-દુનિયામાં જગત મંદિર તરીકે જાણીતા એવા જગવિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ધજાદંડ નવો લગાવાશે, વીજળી પડવાથી ક્ષતિગ્રસ્ત થયો હતો

  • દ્વારકા મંદિરમાં ધજાદંડ નવો લગાવાશે 
  • વીજળી પડવાથી થયો હતો ક્ષતિગ્રસ્ત 
  • દંડ ન લાગે ત્યાં સુધી ધજા નીચે જ ચડાવવામાં આવશે


દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પરનો ધજા દંડ નવો લગાવવાનો નિર્ણય લેવાયો છે. અત્રે જણાવીએ કે, ગત વર્ષે વીજળી પડવાના લીધે દંડ ક્ષતિગ્રસ્ત થયો હતો જેને લઈ આ વર્ષે નવો દંડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

નવો ધજા દંડ 
જગત મંદિર દ્વારકામાં ધજા દંડને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે અનુસંધાને નવો ધજા દંડ ન લાગે ત્યાં સુધી ધજા નીચે જ ચડાવવામાં આવશે તેમજ નવો દંડ ન લાગે ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ચડાવવામાં આવશે.

આકાશી વીજળી પડી હતી
દેશ-દુનિયામાં જગત મંદિર તરીકે જાણીતા એવા જગવિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિરના ધજા દંડ પર ગત વર્ષે કડાકાભડાકા સાથે પડેલા વરસાદ બાદ આકાશી વીજળી પડી હતી, જેમાં મંદિરની ધજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ આ વર્ષે નવો દંડ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આપને જણાવીએ કે, જે તે સમય ભારતીય પુરાતત્ત્વ વિભાગ અને ધજા સમિતિએ ધજા તથા દંડના નુકસાન અંગેનો સર્વે પણ કર્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ