બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / A chance for the youth of the country to earn 50 thousand rupees per month
Priyakant
Last Updated: 11:37 AM, 28 December 2022
લેખનની દુનિયામાં પગ જમાવવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે PM યુવા 2.0 યોજના ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત યુવા લેખકોને વિવિધ વિષયો પર લખવાની તક આપવા માટે માર્ગદર્શક યોજના ચલાવવામાં આવી રહી છે. આમાં પસંદ કરાયેલા યુવા લેખકોને દર મહિને 50,000 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે. આ યોજનામાં 30 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 15 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં યુવા અને ઉભરતા લેખકોની મોટા પાયે ભાગીદારી સાથે પીએમ યુવા યોજનાની પ્રથમ આવૃત્તિની નોંધપાત્ર અસરને ધ્યાનમાં રાખીને હવે યુવા 2.0 માટે યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. દેશમાં વાંચન, લેખન અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 30 વર્ષ સુધીના યુવા અને ઉભરતા લેખકોને તાલીમ આપવા માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કેટલા લેખકોને દર મહિને 50,000 મળશે ?
નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા અખિલ ભારતીય સ્પર્ધા દ્વારા કુલ 75 લેખકોની પસંદગી કરવામાં આવશે. માર્ગદર્શક યોજના હેઠળ તાલીમ અને માર્ગદર્શનના અંતે દરેક પસંદ કરેલ યુવા લેખકને છ મહિના માટે 50,000 રૂપિયા પ્રતિ માસના દરે સ્કોલરશિપ તરીકે કુલ રૂ. 3 લાખ આપવામાં આવશે.
કેટલી ભાષાઓ માટે અરજી કરી શકાય ?
ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ 22 ભાષાઓના યુવા લેખકો પીએમ યુવા 2.0 યોજનામાં ભાગ લઈ શકે છે. આ ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરીનો સમાવેશ થાય છે.
કેવી રીતે કરશો અરજી ?
મહત્વાકાંક્ષી યુવા લેખકો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી છે. યુવા અરજદારો સત્તાવાર વેબસાઇટ https://innovateindia.mygov.in/yuva/ ની મુલાકાત લઈને અને નીચે ડાબી બાજુએ 'સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો' પર ક્લિક કરીને અરજી કરી શકે છે. PM યુવા 2.0 યોજના વિશે સંપૂર્ણ માહિતી વેબસાઇટ પર જ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime