બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / વિશ્વ / A big statement from the Ministry of Health of India regarding the disease spread in China
Priyakant
Last Updated: 04:06 PM, 24 November 2023
ચીનમાં કોરોના બાદ હવે એક અન્ય મુશ્કેલી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતા આરોગ્ય અધિકારીઓ ચિંતાતુર બન્યા છે.
ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં ચીનમાં ઉભરી રહેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસો સાથે ભારતમાં શ્વસન સંબંધી રોગ ફેલાવાનું ઓછું જોખમ છે. ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે.
Union Health Ministry is closely monitoring outbreak of H9N2 cases and clusters of respiratory illness in children in northern China. There is a low risk to India from both the avian influenza cases reported from China as well as the clusters of respiratory illness. India is… pic.twitter.com/vVCuA7c66s
— ANI (@ANI) November 24, 2023
દર્દીઓની વધતી સંખ્યા એ ચિંતાજનક સ્થિતિ
નોંધનિય છે કે, દર્દીઓની વધતી સંખ્યા એ ચિંતાજનક સ્થિતિ છે જે કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. આરોગ્ય અધિકારીઓમાં ચિંતા ઉભી થઇ છે. મોટા ભાગના બાળકો આ રોગનો ભોગ બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એલર્ટ કરી દીધું છે. તેણે પહેલેથી જ ચીનને વધુ માહિતી આપવા માટે કહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં થયો વધારો
WHO કહે છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સમાન સમયગાળાની સરખામણીમાં ચીનમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓ વધી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે, ઈન્ફલ્યુએન્ઝા અને સામાન્ય બેક્ટેરિયલ ચેપનો ફેલાવો એટલે કે કોવિડ-19ના પગલાંને દૂર કરવાથી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સહિત બાળકોને અસર કરતી શ્વસન સંબંધી બીમારીઓમાં વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime