બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 09:50 AM, 12 June 2023
ઘરની અંદર અને બહાર રાખેલ વસ્તુઓ શુભ તથા અશુભ થવાનો સંકેત આપે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જે ખોટી દિશામાં રાખવામાં આવે તો પ્રગતિમાં અડચણ ઊભી કરે છે. કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર ના રાખવી જોઈએ. આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે, જેના કારણે માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દોષ દૂર કરવા માટે કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. આ નિયમો અપનાવવાથી માઁ લક્ષ્મીનું ઘરમાં ફરી આગમન થાય છે. સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
કચરો- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની બહાર કચરો ના મુકવો જોઈએ. પહેલેથી ત્યાં કચરો હોય તો હટાવી લેવો જોઈએ, નહીંતર ઘરના સભ્યો પર ખરાબ અસર થાય છે. દરવાજા પાસે સ્વચ્છતા રાખવામાં આવે તો સકારાત્મક અસર થાય છે.
ચંપલ- ઘરની બહાર ચંપલ રાખવા તે અશુભ માનવામાં આવે છે. મુખ્ય દરવાજેથી માઁ લક્ષ્મીનું આગમન થાય છે, આ કારણોસર દરવાજા પાસે ચંપલ રાખવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેથી ઘરના મુખ્ય દરવાજા પાસે ચંપલ ના રાખવા અને સ્વચ્છતા જાળવવી.
સાવરણી- વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને પગે લાગવામાં આવે છે. માનવામાં આવે છે કે, સાવરણીને પગ લાગી જાય તો માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર ઘરની બહાર સાવરણી ના રાખવી જોઈએ, કારણ કે તેથી સાવરણીને પગ લાગવાની સંભાવના રહે છે.
વીજળીના તાર- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર વીજળીનો થાંભલો હોવો તે અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ઘરની બહાર વીજળીનો થાંભલો હોય તો મહિલાઓ પર ખરાબ અસર થાય છે, ઉપરાંત ઘરની પ્રગતિ નથી.
મની પ્લાંટ- મની પ્લાંટને શુભ માનવામાં આવે છે, પરંતુ ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવો તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે અને સુખ સમૃદ્ધિનો નાશ થાય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime