ભોપાલ પાસે આવેલા માં કંકાલીના મંદિરમાં માંની ડોક 45 ડિગ્રી ઝૂકેલી છે અને માન્યતા છે કે નવરાત્રી સમયે ડોક સીધી થઈ જાય છે.
ભોપાલ પાસે આવેલા માં કંકાલીના મંદિરમાં માંની ડોક 45 ડીગ્રી ઝૂકેલી છે
માન્યતા છે કે નવરાત્રી દરમિયાન માંની ડોક સીધી થઈ જાય છે
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ છે મંદિરમા બિરાજમાન
મંદિરમાં માંની ડોક 45 ડીગ્રી ઝૂકેલી છે
ભોપાલ પાસે રાયસેન રોડ પાસે સ્થિત કંકાલી મંદિરમાં ભક્તોની અપાર આસ્થા છે. ભોપાલથી તે લગભગ 25 થી 30 કિલોમીટર દૂર છે. શારદીય નવરાત્રીમાં અહીં ભક્તોની ભીડ લાગે છે. સવારે 4 વાગ્યાથી માં કંકાલીનો શૃંગાર કરવામાં આવે છે.
આ મંદિરની વિશેષતા એ છે કે માં કાળીની મૂર્તિની ડોક 45 ડિગ્રી ઝૂકેલી છે. સવારે 6 વાગ્યાથી મંદિર ભક્તો માટે ખોલવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં ભોપાલ, રાયસેન, સિહોર, વિદિશા સહિત આસપાસનાઆ ગામોમાં મોટી સંખ્યામાં લોકો માં કંકાલીના દર્શન માટે મંદિર આવે છે.
નવરાત્રીમાં સીધી થાય છે માં કંકાલીની ડોક
સામાન્ય રીતે મંદિરમાં સ્થાપિત માં કંકાલી દેવીની મૂર્તિની ડોક ઝૂકેલી હોય છે પણ નવરાત્રી દરમિયાન અચાનક જ સીધી થઈ જાય છે. આ ચમત્કાર જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત નવરાત્રી દરમિયાન માંની ડોકને સીધી જોઈ લે છે, તેના બધા જ કામો પૂરા થાય છે.
કંકાલી માતા મંદિરનો ઇતિહાસ
માતાનું આ મંદિર રાયસેન જિલ્લાનાં ગુદાવલ ગમમાં સ્થિત છે. દેશની આ પહેલી એવી મૂર્તિ છે જેની ડોક 45 ડિગ્રી ઝૂકેલી છે. આ મંદિરની સ્થાપના 1731ની આસપાસ થઈ હતી. આ મૂર્તિ ખોદકામ દરમિયાન જ મળી હતી.
જોકે આ મંદિર અસ્તિત્વમાં ક્યારથી આવ્યું તેના પ્રમાણ મળતા નથી. વર્તમાનમાં આ મંદિરનું સ્વરૂપ ખૂબ જ ભવ્ય થઈ ગયું છે. આ મંદિરના પરિસરમાં ધર્મશાળા, ગૌશાળા, સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના પણ થઈ રહી છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ છે બિરાજમાન
આ કાળીમાંનું ખૂબ જ જૂનું મંદિર છે. અહીં માં કંકાલીની 20 ભુજાઓવાળી આ મૂર્તિની સાથે સાથે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ પણ છે. આખું વર્ષ અહીં દૂર દૂરથી ભક્તો આવે છે. માન્યતા છે કે અહીં આવતા ભક્તોની ઈચ્છાઓ પૂરી થાય છે.