બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 4200 grade pay 25 june circular cancel by gujarat government

સારા સમાચાર / શિક્ષકોના ગ્રેડ પેને લઈને મોટી જાહેરાત, સરકારે હાલ પૂરતો 25 જૂનનો પરિપત્ર કર્યો રદ્દ

Last Updated: 01:00 PM, 17 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4200ના ગ્રેડ પેને લઈને સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જૂના પરિપત્રને હાલ પૂરતો રદ્દ કરી શિક્ષકોને ખુશખબર આપ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષકો દ્વારા આ અંગે મુહિમ ચલાવવામાં આવી રહી હતી જેમાં VTVએ પણ સાથ આપ્યો હતો આખરે ગાંધીનગરથી ગુરૂઓ માટે સારા સમાચાર આવ્યા છે.

  • 2019 રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો 
  • પરિપત્રમાં 4200નો પે ગ્રેડ ઘટાડવામાં આવ્યો હતો 
  • 4200ના પે ગ્રેડને ઘટાડીને 2800 કરાયો હતો 

VTVના પ્રયાસથી શિક્ષકોને રાહત મળી છે.  ગ્રેડ પે પર સરકારે મોટો નિર્ણય લીધો છે જેનો સીધો ફાયદો 65 હજાર શિક્ષકોને થશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, CM રૂપાણી સાથે ચર્ચા કરીને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

રાજ્યના 65000 શિક્ષકો ને આ નિર્ણય થી ફાયદો થશે

ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે,  2010 પછી ના શિક્ષકો ને આ નિર્ણય થી ફાયદો થશે. શિક્ષકો ને વિવાદાસ્પદ પરિપત્ર થી 8000 થી વધુ નું નુકશાન થાય રહ્યું હતું. સરકારે 25/6/19 નો પત્ર સરકારે રદ કર્યા છે.  હવે એકપણ શિક્ષક ને આર્થિક નુકશાન નહીં થાય આગામી સમયે હવે નીતિવિષયક પત્ર કરવામાં આવશે. આગામી બે મહિનામાં શિક્ષકો ને લાભ મળતો શરૂ થશે. 4200 ગ્રેડ પે લેવા હકદાર તમામ શિક્ષકો ને લાભ મળશે.

શિક્ષકના પે ગ્રેડનો વિવાદ શું છે

2019 રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો. પરિપત્રમાં 4200નો પે ગ્રેડ ઘટાડવામાં આવ્યો હતો. 4200ના પે ગ્રેડને ઘટાડીને 2800 કરાયો હતો. પે ગ્રેડમાં પ્રમોશન અને આર્થિક આવકને નુકશાન હતું. હવે નવા ગ્રેડથી શિક્ષકોનું ફરી જુના ગ્રેડ મુજબ મળશે. 

રાજ્યમાં વર્ષ 2020-21ના અભ્યાસ ક્રમને લઈને મહત્વનો નિર્ણય

શિક્ષણમંત્રી વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કહેરને ધ્યાને રાખીને સરકાર દ્વારા ચાલુ વર્ષ 2020-21નો અભ્યાસક્રમ ઘટાડાયો છે. આ મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી છે કે, કોરોનાના કહેરને લઈને આ વર્ષે અભ્યાસક્રમ ઓછો હશે.  જે આગળના ધોરણમાં કામ આવે તેવો જ અભ્યાસક્રમ રાખશે. કયા ચેપ્ટર હટાવવા તે અંગે શિક્ષણવિભાગ દ્વારા નિર્ણય લેવાશે.. ઉપલા ધોરણમાં કામ આવે તેવા જ ચેપ્ટર રાખવામાં આવશે. સરકાર દ્વારા અભ્યાસક્રમને લઈને કોઈ ઉતાવળ નહી કરવામાં આવે

સંકળાયેલા મુદ્દાઓ

4200 pay grade Gujarat government ગાંધીનગર ગુજરાત સરકાર Education
Gayatri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ