બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 392 new cases of corona were reported in the state

કોવિડ અપડેટ / ગુજરાતમાં કોરોનાની ચડ-ઉતર: આજે નવા 392 કેસ, ગીર સોમનાથમાં એક દર્દીનું મોત, આ 5 શહેરોમાં સાચવવા જેવું

Dinesh

Last Updated: 08:22 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના કેસમાં સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના 392 નવા કેસ તેમજ 2220 એક્ટિવ કેસ નોંધાયા છે

  • રાજ્યમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા
  • કોરોનાથી ગીર સોમનાથમાં એક દર્દીનું મોત
  • અમદાવાદમાં કોરોનાના નવા 145 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ 350ની આસપાસ જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે તેમજ હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 392 પોઝીટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નવા 392 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા છે તેમજ કોરોનાથી ગીર સોમનાથમાં એક દર્દીનું મોત થયું છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના નવા 145 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 58, સુરતમાં 37, મહેસાણામાં 35 કેસ નોંધાયા છે. રાજકોટમાં 22, ગાંધીનગરમાં 16, વલસાડમાં 13 કેસ નોંધાયા છે. મોરબીમાં 9, સાબરકાંઠામાં 8, પાટણમાં 7 કેસ નોંધાયા છે. અમરેલીમાં 6, કચ્છ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ નોંધાયા છે. નવસારીમાં 5, આણંદ, ખેડા અને પંચમહાલમાં 3-3 કેસ નોંધાયા છે. બનાસકાંઠા, ભરૂચ અને ગીર સોમનાથમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 2220 એક્ટિવ કેસ સામે આવ્યા છે.

258 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 392 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 258 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2220 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.  

કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે  એડવાઇઝરી 
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ