બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 31st january 2024 last day of month hasta nakshatra auspicious yoga 7 upay for lord shiva

ધર્મ / આ મહિનાના છેલ્લા દિવસે અપનાવો આ 7 ઉપાય, ખુલી જશે ભાગ્યના દ્વાર, બની રહ્યો છે દુર્લભ સંયોગ

Arohi

Last Updated: 09:13 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hasta Nakshatra: આજે જાન્યુઆરીનો છેલ્લો મહિનો છે. આજે હસ્ત નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ યોગ પર અમુક ઉપાય કરવાથી તમારા જીવનમાં અપાર પ્રસિદ્ધિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

  • આજે બની રહ્યો છે ખાસ યોગ 
  • આ 7 ઉપાયથી ખુલી જશે કિસ્મતના દ્વાર 
  • ભોલેનાથ દરેક કાર્યમાં અપાવશે સફળતા 

આજે જાન્યુઆરી 2024ના મહિનાનો છેલ્લો દિવસ છે અને આજના દિવસે ખૂબ જ શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે મોડી રાત્રે 1.08 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધી યોગ છે. માનવામાં આવી રહ્યું છે કે આ યોગમાં કરવામાં આવેલા બધાજ કાર્ય સફળ થાય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ વખતે નવા વ્યાપારની શરૂઆત કરવી, કોઈ પ્રકારની શિક્ષા ગ્રહણ કરવી, નવી નોકરી પર જવું, ગૃહ કાર્ય પ્રારંભ કરવું જેવા કાર્ય ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રનો અર્થ છે હાથ- અને તેના જ અનુસાર હસ્ત નક્ષત્રનું પ્રતીક ચિન્હ આપણી હથેળીને માનવામાં આવ્યું છે જે આપણા ભાગ્યને દર્શાવે છે. 

આજના દિવસે કરો આ ઉપાય 
દાંપત્ય જીવન માટે 

જો તમે પોતાના દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માંગો છો તો આજના દિવસે સ્નાન કરી સૌથી પહેલા શિવલિંગ પર મધ મિશ્ચિત જળની ધાર કરો. તેના બાદ તમારે શિવજીના આ મંત્રનો 51 વખત જાપ કરવાનો રહેશે. મંત્ર છે....ऊँ शं शंकराय भवोद्भवाय शं ऊँ नमः।

વિદેશ જવાની ઈચ્છા માટે
જો તમે વિદેશ જવાની ઈચ્છા ધરાવો છો તો આજના દિવસે સ્નાન બાદ શિવજીના મંદિર જઈ શિવલિંગ પર જળાભિષેક કરો. જળાભિષેક કર્યા બાદ મંદિરમાં આસન પર બેસીને શિવજીના આ મંત્રને 11 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે-  ऊँ अघोरेभ्यो अथघोरेभ्यो, घोर घोर तरेभ्यः। सर्वेभ्यो सर्व शर्वेभ्यो, नमस्ते अस्तु रूद्ररूपेभ्यः’। 

સંતાનની પ્રગતિ માટે 
જો તમે પોતાના સંતાનની પ્રગતિ જોવા માંગો છો તો આજના આ શુભ સંયોગ પર સ્નાન બાદ ત્રણ બિલિ પત્ર લઈ શિવ મંદિર જાઓ. તેને સ્વચ્છ પાણીથી ધોઈ. તેના પાન પર તિલક કરો અને તેને શિવલિંગ પર અર્પિત કરી દો. સાથે જ સંતાનની પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. 

બિઝનેસમાં સફળતા માટે 
જો તમે પોતાના બિઝનેસમાં સફળ થવા માંગો છો તો આજના દિવસે સ્નાન કર્યા બાજ સ્વચ્છ કપડા પહેરી ઉચિત સ્થાન પર આસન પાથરી તે આસન પર ઉત્તર દિશાની તરફ મુખ કરી બેસી જાઓ અને ભગવાન શંકરના આ મંત્રનો જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- ऊँ शिवाय नमः ऊँ।

નવી ઓફિસમાં આવતી સમસ્યા માટે 
જો તમને પોતાની નવી ઓફિસમાં કામ કરવામાં કોઈ મુશ્કેલી થઈ રહી છે અથવાતો તમારે બધાની સાથે એડજસ્ટ થવામાં મુશ્કેલીઓ આવી રહી છે તો આજના દિવસે તમારે શિવ મંદિરમાં જઈને નારિયેળ અર્પિત કરવું જોઈએ. સાથે જ શિવડીના આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર આ પ્રકારે છે- ऊँ नमः शिवाय।

સુખ-સમૃદ્ધિ માટે 
જો તમે પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ યથાવત રાખવા માંગો છો તો આજના દિવસે સ્નાન કર્યા બાદ રીઠાનું ફળ લઈ તેને શિવ મંદિરમાં જઈને અર્પિત કરો.  

વધુ વાંચો: જન્મતારીખ અનુસાર પહેરો ખાસ રત્ન, જીવનમાંથી તમામ સંકટો થશે દૂર, પૈસાથી સાથે આવશે અપાર ખુશી

ધન-સંપત્તિ માટે 
જો તમે જીવનમાં ધન-સંપત્તિની સાથે ખૂબ નામ કમાવવા માંગો છો તો તેના માટે આજના દિવસે શિવ ચાલીસાનો પાઠ કરો. સાથે જ શિવલિંગ પર દૂધનો અભિષેક કરો. બાદમાં સ્વચ્છ જળ અર્પિત કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ