બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / 3 Reasons Inflation not under control, RBI Governor Das
Hiralal
Last Updated: 04:55 PM, 12 November 2022
હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2022માં કેન્દ્રીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારી વધવાના કારણોનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે રૂપિયા, ડિજિટલ કરન્સી, વિદેશી મુદ્રા ભંડાર સહિત અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.
Both RBI and government are dealing with the challenge of inflation effectively, says Governor Shaktikanta Das
— Press Trust of India (@PTI_News) November 12, 2022
ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તર કરતાં ઝડપથી વિકસી રહ્યું છે
શક્તિકાંત દાસે કહ્યું કે, દુનિયાભરની અર્થવ્યવસ્થા તણાવના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે આ સ્થિતિ માટે મુખ્યત્વે 3 કારણોને જવાબદાર ગણાવ્યા છે. શક્તિકાંત દાસે કહ્યું કે, કોવિડ મહામારી, યુક્રેન-રશિયા યુદ્ધ અને નાણાકીય બજારને કારણે ઊભી થયેલી કટોકટીને કારણે ભારત સહિત દુનિયાની અર્થવ્યવસ્થા તણાવમાં છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે હાલ દેશના જીડીપી ગ્રોથના આંકડા સાચા છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તર કરતાં ઝડપથી વિકસી રહ્યું છે. ફુગાવાના આંકડા પણ હવે ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યા છે.
No need to shift goal post as far as inflation target of 2-6 pc is concerned, even though there is debate on target shifting: RBI Governor Das
— Press Trust of India (@PTI_News) November 12, 2022
ઓક્ટોબરના ફુગાવાના આંકડા રાહતરૂપ બનશે
તેમણે આશા વ્યક્ત કરી હતી કે સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરના ફુગાવાના આંકડા રાહતરૂપ બનશે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો 7 ટકાથી નીચે રહેવાની સંભાવના છે. સતત ત્રણ ત્રિમાસિક ગાળા માટે ફુગાવો 6 ટકાથી ઉપર હોય તો તે નાણાકીય નીતિની નિષ્ફળતા છે.
India's overall macroeconomic fundamentals remain resilient amid global turmoil: RBI Governor Das
— Press Trust of India (@PTI_News) November 12, 2022
સમય સાથે સમાયોજિત થવાની જરુર
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, દુનિયા બદલાઈ રહી છે, બિઝનેસ કરવાની રીત બદલાઈ રહી છે. તમારે સમય સાથે સમાયોજિત થવું પડશે. કાગળની નોટ છાપવામાં, છાપવાનો ખર્ચ, કાગળ ખરીદવા, લોજિસ્ટિક્સ, સ્ટોરેજ વગેરેમાં ખર્ચ વધારે છે. આગળ જતાં ડિજિટલ કરન્સી ઓછી મોંઘી થશે. આ સરહદ પારના વ્યવહારો અને સરહદ પારની ચુકવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime