ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને આ વખતે આમ આદમી પાર્ટી પણ સક્રિય જોવા મળી રહી. ત્યારે LRD આંદોલન વખતે ચર્ચામાં આવેલા યુવરાજલસિંહ જાડેજા પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ચૂંટણીને લઈને રાજ્યમાં ત્રિકોણિય જંગ
વધું એક યુવા નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા
યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ વખતે રાજ્યમાં ત્રિકોણિયો જંગ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સીધી લડાઈવાળા રાજ્યમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી છે. હાલમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે એક બાદ એક યુવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં આજે ગુજરાતનો એક સમયના જાણીતા ચહેરાઓ ઝાડુ પકડયું છે.
ગુજરાતમાં બેરોજગાર યુવાનો માટે લડત ચલાવી યુવાનોમાં લોકપ્રિય બનેલા એવા @YAJadeja આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ ખુબ ખુબ અભિનંદન.. pic.twitter.com/vQ03KTaRSb
દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસ પર છે ત્યારે આજે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. LRD આંદોલન વખતે યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા હતા.
અમરેલી જીલ્લા કોંગ્રસના અગ્રણી નેતા એવા શ્રી ઝવેરભાઈ રંધોળિયા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનિષ સિસોદિયાજીની હાજરીમાં ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા pic.twitter.com/LhD9ga3ltj
યુવરાજ સિંહ જાડેજા સિવાય અમરેલીનાં કોંગ્રેસ આગેવાન ઝવેરભાઈ રંધાળીયાને પણ મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટીની સદસ્યતા અપાવી હતી.
ચૂંટણીને લઈ આમઆદમી પાર્ટીની ફુલ તૈયારી
નોંધનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં વિજય સુંવાળા સહિતના યુવા ચહેરાઓને પાર્ટીમાં સામે કરવા માટે મોટા મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મનીષ સિસોદિયા રોડ શૉ યોજીને પ્રચાર કરવા જઈ રહ્યા છે.