બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Will there be a new twist on the Brijbhushan issue! A meeting between Amit Shah and wrestlers lasted for 2 hours
Priyakant
Last Updated: 09:35 AM, 5 June 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળ્યા છે. વિગતો મુજબ આ બેઠક 3 જૂનની રાત્રે અમિત શાહના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. મહત્વનું છે કે, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ ત્યાં પહોંચ્યા હતા. અહેવાલ છે કે, અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે બે કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી.
એક ખાનગી મીડિયાએ આ મામલે રિપોર્ટ તૈયાર કર્યો છે. બજરંગ પુનિયાએ એક અખબારને જણાવ્યું કે, તેમની ગૃહમંત્રી સાથે મુલાકાત થઈ છે. તેમણે મીટિંગ સંબંધિત અન્ય કોઈ માહિતી આપી નથી. રિપોર્ટ અનુસાર અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન કુસ્તીબાજોએ બૃજભૂષણ સિંહ પર લાગેલા આરોપોની તપાસની સ્થિતિ પર ચર્ચા કરી. કુસ્તીબાજોએ વહેલી તકે મજબૂત ચાર્જશીટ દાખલ કરવાની માંગ પણ કરી હતી.
શું કહ્યું ગૃહમંત્રીએ ?
ખાનગી મીડિયાના રિપોર્ટ અનુસાર ગૃહમંત્રીએ કહ્યું કે, યોગ્ય પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે. મહત્વનું છે કે, આ અગાઉ રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને નિષ્પક્ષ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અને કાયદાને તેના માર્ગે ચાલવા દેવા વિનંતી કરી હતી.
બૃજભૂષણ પર શું છે આરોપ?
28 એપ્રિલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી હતી. આમાં જાતીય સતામણી, છેડતી, ધાકધમકીથી સંબંધિત ઘણી કથિત ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ FIRમાં છ કુસ્તીબાજો સામેના આરોપો સામેલ છે. બીજી FIRમાં સગીર કુસ્તીબાજના પિતાની ફરિયાદના આધારે લખવામાં આવી હતી. FIR મુજબ બે આરોપો વ્યાવસાયિક મદદના બદલામાં જાતીય તરફેણની માંગ સાથે સંબંધિત છે. ઓછામાં ઓછા 15 કેસ જાતીય સતામણીના છે, જેમાં અયોગ્ય સ્પર્શ, સ્તનોને સ્પર્શ કરવો, નાભિને સ્પર્શ કરવો અને ધાકધમકી આપવા જેવી ઘટનાઓ છે.
જાણો આ કેસમાં કેટલી સજા થઈ શકે ?
બંને FIRમાં આઈપીસી કલમ 354, 354A, 354D અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમોમાં સજા 1થી 3 વર્ષની જેલની હોઈ શકે છે. સગીર કેસમાં પોક્સો એક્ટની કલમો પણ લાગુ કરવામાં આવી છે, જેમાં 5થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. આરોપોમાં ઉલ્લેખિત કથિત ઘટનાઓ 2012થી 2022 સુધીની જણાવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાઓ ભારત અને વિદેશમાં બની હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો