બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / why mobile phone inventor martin cooper warns people to take eyes off from screen
Hiralal
Last Updated: 03:48 PM, 30 March 2023
આજે મોબાઈલ વગર વ્યક્તિ પોતાના જીવનની કલ્પના પણ કરી શકતો નથી. બજારમાંથી શાકભાજી ખરીદવાની વાત હોય કે ખરીદી કરતી વખતે પેમેન્ટ કરવાનું હોય, મોબાઇલે બધું જ સરળ બનાવી દીધું છે. આ જ કારણ છે કે લોકો કલાકો સુધી પોતાના મોબાઈલને વળગી રહે છે. પરંતુ લોકોની મોબાઇલ પ્રત્યેની આ લતને જોતા તેના શોધક માર્ટિન કૂપર પોતે ચિંતિત છે. તેમણે લોકોને સલાહ આપી છે કે તેઓ તેમનો ઉપયોગ ઓછો કરે અને પોતાનું જીવન સારી રીતે જીવે.
લોકો જરુર કરતાં વધારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યાં છે
2013માં મોબાઈલ ફોનની શોધ કરનાર માર્ટિન કૂપરને માર્કોની પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડનું નામ રેડિયો શોધક ગુગ્લિયલ્મો માર્કોનીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કારણ કે આ એવોર્ડને માહિતી વિજ્ઞાન અને સંચારના ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. પરંતુ તેની શોધ કરનાર માર્કોનીને આ શોધ કર્યા બાદ લાગવા માંડ્યું કે લોકો જરૂર કરતા વધારે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
અનેક રોગો પર વિજય મેળવી શકાય તેટલી તાકાત મોબાઈલમાં
સેલ ફોનના જનક મનાતા અમેરિકન એન્જિનિયર માર્ટિન કૂપરનું કહેવું છે કે આપણા ખિસ્સામાં રહેલા નાના ડિવાઇસમાં એટલી ક્ષમતા છે કે તે એક દિવસ ઘણા રોગો પર વિજય મેળવવામાં મદદ કરી શકે છે. આ હોવા છતાં, જ્યારે કોઈ વ્યક્તિ મોબાઈલ પર વાતો કરતાં કરતાં રસ્તો ઓળંગે છે ત્યારે તેમને ખૂબ ચિંતા થઈ આવે છે.
મોબાઈલની આદત છોડીને સાચું જીવન જીવવું જોઈએ
ઇતિહાસમાં પ્રથમ વખત સેલફોનના શોધકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે લોકો હાલમાં તેમના ગેજેટ્સ પર કેટલો સમય વિતાવે છે. તેમણે કહ્યું કે તેમણે સેલફોનની શોધ કરી હોવા છતાં, તેમના પૌત્ર-પૌત્રીઓ અને પ્રપૌત્ર-પૌત્રીઓ જે રીતે તેનો ઉપયોગ કરે છે તે રીતે તે ભાગ્યે જ કરી શકે છે.
બીબીસી બ્રેકફાસ્ટ સાથેની એક મુલાકાત દરમિયાન કૂપરનો ઇન્ટરવ્યુ લેનારી મહિલાએ જણાવ્યું હતું કે, તે દરરોજ પાંચ કલાકથી વધુ સમય પોતાના ફોનમાં વિતાવે છે. "મારા જેવી વ્યક્તિને તમે શું કહેશો જે પાંચ કલાકથી વધુ સમય સુધી ફોનનો ઉપયોગ કરે છે?" ત્યારે કૂપરે તેમને કહ્યું કે તેમને મોબાઈલની આદત છોડી દેવી જોઈએ અને સાચું જીવન જીવવું જોઈએ.
વર્ચ્યુઅલ લાઇફ છોડીને રિયલ લાઇફ જીવો
મોબાઈલ ફોનની શોધ કરનાર માર્ટિન કૂપરે લોકોને મોબાઈલ ફોનનો ખૂબ ઓછો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે લોકોએ વર્ચ્યુઅલ લાઇફ છોડીને રિયલ લાઇફ જીવવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime