બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Megha
Last Updated: 10:52 AM, 12 December 2023
આયકર વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ ઘર અને ઠેકાણામાંથી 353 કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઘરના ખૂણે-ખૂણામાંથી 500 અને 200 રૂપિયાની આટલી નોટો નીકળી કે આ રૂપિયા ગણવામાં કુલ પાંચ દિવસ લાગ્યા હતા. નોટોની ગણતરી રવિવારે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. આ સમય દરમિયાન ઘણા આઈટી અધિકારીઓ અને બેંક કર્મચારીઓ કલાકો સુધી બેસીને નોટો ગણતા હતા.
દેશમાં અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી વધુ રોકડ જપ્તી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ શાખાઓના બેંકે, 3 ડઝનથી વધુ કાઉન્ટિંગ મશીનો અને 80 અધિકારીઓને તૈનાત કરીને આશરે રૂ. 353 કરોડની ગણતરી કરી હતી. રૂ. 100, 200 અને 500ની નોટોની 176 થેલીઓ હતી. આવી સ્થિતિમાં, દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસના ધીરજ સાહુ પાસેથી જપ્ત કરેલા 353 કરોડ રૂપિયા હવે કોણ રાખશે? કેટલા ટકા ટેક્સ લાગશે?
આવકવેરાના નિયમો શું કહે છે?
આવકવેરાના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે અઘોષિત આવક મળી આવે તો ટેક્સની સાથે દંડની જોગવાઈ છે. ટેક્સ સ્લેબના આધારે 300 ટકા સુધી ટેક્સ અને પેનલ્ટી લાદવામાં આવી શકે છે. નિયમો અનુસાર ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી રિકવર કરાયેલી સંપત્તિ પાછી મેળવવી મુશ્કેલ છે ઉપરાંત તેણે વધારાના ટેક્સ પણ ચૂકવવા પડી શકે છે.
આવા કિસ્સામાં આવકવેરા વિભાગ દ્વારા મહત્તમ ટેક્સ 33 ટકા છે, જેમાં 3 ટકા સરચાર્જ છે. આ પછી, 200 ટકા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. નિયમો અનુસાર, જો જપ્ત કરાયેલી મિલકત આ ચાલુ વર્ષની છે તો તેના પર કુલ 84 ટકા ટેક્સ અને દંડ વસૂલવામાં આવશે. પરંતુ જો આ કાળી કમાણી પાછલા વર્ષોની હોય તો તેના પર 99% સુધીનો ટેક્સ અને દંડ વસૂલ કરી શકાય છે.
ધીરજ સાહુનો પરિવાર શું કરે છે?
બૌદ્ધ ડિસ્ટિલરી એ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના પરિવારની કંપની છે. આ કંપની દારૂના વ્યવસાયમાં છે અને ઓડિશામાં તેની ઘણી દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે. આ કારણસર કંપનીના ઘણા સ્થળો પર ટેક્સ ચોરીના આરોપમાં દરોડા પાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2009માં થયેલી પેટાચૂંટણીમાં પહેલીવાર ધીરજ સાહુ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જે બાદ તેઓ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો